Bihar Election/ કોંગ્રેસ બાદ હવે LJP અધ્યક્ષ ચિરાગ પાસવાને બહાર પાડ્યું ઘોષણા પત્ર

બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પૂરી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે થોડા સમય પહેલા કોંગ્રેસ પાર્ટીએ બિહાર ચૂંટણી માટે ઘોષણા પત્ર બહાર પાડ્યુ છે.

Top Stories India

બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પૂરી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે થોડા સમય પહેલા કોંગ્રેસ પાર્ટીએ બિહાર ચૂંટણી માટે ઘોષણા પત્ર બહાર પાડ્યુ છે. હવે એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને પાર્ટીનું ઘોષણા પત્ર બહાર પાડ્યું છે, પાર્ટી દ્વારા આ ઘોષણા પત્રનું નામ ‘વિઝન ડોક્યુમેન્ટ’ રાખવામાં આવ્યું છે, જે વિશે ચિરાગ પાસવાને કહ્યું હતું કે, લાખો લોકોએ આમાં તેમના ઇનપુટ આપ્યા છે, તેમના પિતા રામ વિલાસ પાસવાને પોતે જ આ હોસ્પિટલમાં રહેતા તૈયાર કરાવેલ છે.

ભાવુક ચિરાગે ખુલ્લા મંચથી કહ્યું હતું કે, ચૂંટણીઓમાં આટલી મોટી પ્રેસ વાતો થઇ રહી છે, પણ આજે પાપા મારી સાથે નથી પણ મને ખબર છે તે જ્યાં પણ છે મારી સાથે જ છે, તે જાણી શકાય છે કે ચિરાગ પાસવાને તેમની પાર્ટીનાં ‘વિઝન ડોક્યુમેન્ટ’ની પહેલી નકલ તેમની માતાને આપી હતી અને તેમનો આશીર્વાદ મેળવ્યા પછી જ તે મીડિયાને મળ્યા હતા.

પત્રકાર પરિષદમાં ચિરાગે વર્તમાન સીએમ નીતીશ કુમાર પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, તમે કેવી રીતે જાતિને પ્રોત્સાહન આપો છો તે જોઈને મને આશ્ચર્ય થાય છે. જે વ્યક્તિ સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપતી હોય તેના નેતૃત્વ હેઠળ બિહારનાં વિકાસની કલ્પના કરવી યોગ્ય નથી. બિહારનાં આ યુવા નેતાએ કહ્યું કે, નીતિશ કુમાર જીતે તો બિહાર હારશે, તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓને તેમની સિદ્ધિ ગણાવી છે, તેઓ પોતે પહેલા પીએમ મોદીનો વિરોધ કરતા હતા અને હવે તેમની સાથે ઉભા થઇ ગયા છે.