Jammu Kashmir/ મહેબૂબાએ કહ્યું- હું કલમ 37૦ની પુન:સ્થાપના ના થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી લડીશ નહીં

મહેબૂબાએ કહ્યું- હું કલમ 37૦ની પુન:સ્થાપના ના થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી લડીશ નહીં

Top Stories India

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. મહેબૂબાએ કહ્યું કે બિહારની વોટ બેંક માટે પીએમ મોદીએ કલમ 37૦ નો સહારો લેવો પડી રહ્યો છે. જ્યારે તેઓ કોઈ વસ્તુમાં નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ કાશ્મીર અને કલમ 37૦ જેવા મુદ્દાઓ ઉભા કરે છે. વાસ્તવિક મુદ્દા પર વાત કરવા માંગતા નથી.

ahmedabad / જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં કોરોનાએ કર્યો પ્રવેશ, મોટી સંખ્યામાં વૃધ્ધો કોરોનાગ્રસ્ત

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર અમારા અધિકાર કલમ 37૦ પરત નહીં આપે ત્યાં સુધી મને કોઈ ચૂંટણી લડવામાં રસ નથી.

Cricket / મહાન ભારતીય ક્રિકેટર કપિલદેવને આવ્યો હાર્ટએટેક

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી એ જણાવ્યું હતું કે, જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુન: સ્થાપિત નહી થાય ત્યાં સુધી મારો સંઘર્ષ સમાપ્ત થશે નહીં. મારો સંઘર્ષ કાશ્મીર સમસ્યા હલ કરવા માટે રહેશે. મહેબૂબાએ કહ્યું કે ભાજપે બાબરી મસ્જિદની આસપાસ એવું વાતાવરણ ઉભું કર્યું હતું કે જાણે ક્યારેય અસ્તિત્વમાં ન હોય.

World: વિશ્વમાં દર છઠ્ઠું બાળક ગરીબ, કોરોના રોગચાળા થી આ સંખ્યા હજુ વધી શકે છે…..

મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે લદાખમાં 1000 ચોરસ કિલોમીટરથી વધુ જમીન પર ચીને કબજો કર્યો છે. ચીન દ્વારા કલમ 37૦ ના હટાવવા અને ભારત દ્વારા કરવામાં આવેલા ફેરફાર અંગે જાહેરમાં વાંધો છે. તેઓ ક્યારેય નકારી શકે નહીં કે જમ્મુ અને કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તરે આજની જેમ પ્રખ્યાત નહોતું.

Navratri: અષ્ટમી, નવમીની પૂજા તારીખ અંગે સ્પષ્ટતા……

ahmedabad: પ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં આઠમના દિવસે યોજાશે હવન…

નોંધપાત્ર વાત એ છે કે કલમ 37૦ હટાવતા પહેલા મહેબૂબા મુફ્તીને પોલીસે કસ્ટડીમાં લીધી હતી. મહેબૂબા મુફ્તીને 434 દિવસ પછી મુક્ત કરવામાં આવી છે. આ પછી, મહેબૂબા મુફ્તીએ કલમ 370 ની પુન:સ્થાપના માટે એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનમાં જમ્મુ-કાશ્મીરના તમામ રાજકીય પક્ષો એક સાથે થયા છે.