દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 8 નવેમ્બર 2020, રવિવાર
- તિથિ – આસો વદ સાતમ
- રાશિ – કર્ક (ડ,હ)
- નક્ષત્ર – પુષ્ય
- યોગ – શુક્લ
- કરણ – બવ
દિન વિશેષ –
- લાભ ચોઘડીયું – સવારે 9.33 થી 10.58
- ભાનુસપ્તમી
- રાજયોગ સૂર્યોદયથી સવારે 7.30
- સવારે 8.45 સુધી શુભ દિવસ કહેવાશે
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- કાર્યક્ષેત્રે લાભ થાય
- જૂના અટકેલા કાર્યો આગળ વધે
- સ્ત્રી પાત્રો દ્વારા આવક થાય
- લોન સંબંધી કાર્યો આગળ ધપે
* વૃષભ (બ,વ,ઉ) –
- પ્રવાસ રહે
- લેખકો માટે સફળતાના યોગ
- સંતાન સાથે સુમેળ રહે
- યુવા મિત્રોના પ્રેમ સંબંધ મજબૂત બને
* મિથુન (ક,છ,ઘ) –
- શંકા-કુશંકા વધુ રહે
- ધન સંબંધી બાબતોમાં મૂંઝવણ રહે
- ખોટા ખર્ચા વધુ થાય
- ઘર સંબંધી કાર્યવાહી થાય
* કર્ક (ડ,હ) –
- જીવનસાથી સાથે એકતા વધે
- કુંવારા માટે લગ્ન સંબંધી વાતો આગળ વધે
- મિત્રો સાથે પ્રેમ વધે
- વાહન યોગ વધુ રહે
* સિંહ (મ,ટ) –
- નોકરીમાં તકો વધે
- લોખંડ-લાકડાના વેપારીને લાભ
- વેપારમાં લાભ રહે
- પિતા તરફથી ધનલાભ
* કન્યા (પ,ઠ,ણ) –
- કાર્ય કરવામાં મૂંઝવણ થાય
- મન વધુ ચિંતીત થાય
- ભાગ્ય મજબૂત છે
- કુલમળીને મિશ્ર દિવસ વીતશે
* તુલા (ર,ત) –
- માતા-પિતા તરફથી સહકાર મળે
- વડીલોથી લાભ
- જૂના મકાનથી લાભ રહે
- પરદેશના યોગ છે
* વૃશ્ચિક (ન,ય) –
- મોજ-શોખ વધી જાય
- ખર્ચનું પ્રમાણ વધશે
- જીવનસાથી સાથે સંયમ રાખવો
- ખોટા કંકાસથી દૂર રહેવું
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- ઘર-પરિવારથી લાભ
- નોકરીથી લાભ
- વેપારીને વિશેષ લાભ
- પ્રવાસ વધુ રહે
* મકર (ખ,જ) –
- જીવનસાથી પ્રત્યે પ્રેમ વધે
- ઉંમરલાયક દંપતિ વધુ સુખ પામે
- પ્રેમ સંબંધ મજબૂત થાય
- પૈતૃક સંબંધો દ્વારા લાભ
* કુંભ (ગ,શ,સ,ષ) –
- આરોગ્ય જાળવજો
- સ્નાયુના દુઃખાવાથી સાચવજો
- શોધખોળની વૃત્તિ વધી જાય
- બપોર પછી લાભ રહે
* મિન (દ,ચ,ઝ,થ) –
- વિદ્યાર્થીઓને લાભ
- પુત્ર અને પુત્રવધૂથી લાભ
- મનમાં થોડી નકારાત્મકતા વધે
- બપોર પછી વેપારમાં લાભ
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે સૂર્યદેવની ઉપાસના કરવી. રવિવારે આવતી સાતમ ભાનુસપ્તમી કહેવાય છે માટે સૂર્યદેવની ઉપાસના અવશ્ય કરવી.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.