Astrology News: આજે 54 વર્ષ પછી સૌથી મોટું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. મહત્વનું છે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે રાશિઓ પર અસર કરે છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ હશે જે 8 એપ્રિલે રાત્રે 09:12 વાગ્યાથી શરૂ થશે અને મધ્યરાત્રિ 01:25 સુધી ચાલશે. આ સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 25 મિનિટ સુધી રહેશે. આટલા લાંબા સમયગાળાનું સૂર્યગ્રહણ 100 વર્ષ પછી ફરીથી થશે. તેથી આ સૂર્યગ્રહણ જ્યોતિષની સાથે-સાથે ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ પણ ખૂબ જ ખાસ બનવાનું છે.
કઈ રાશિના જાતકોને સૂર્યગ્રહણ ફાયદો કરાવશે કે નુકસાન?
મેષ રાશિ- આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે. માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. તમને તમારા કાર્યમાં સફળતા મળશે. વૈવાહિક અને પારિવારિક જીવન સુખમય રહેશે.
વૃષભ રાશિ– આ રાશિના જાતકોને સૂર્યગ્રહણ ખૂબ જ સારું રહેશે . સૂર્યગ્રહણની સકારાત્મક અસરને કારણે તેમના પગારમાં વધારો થઈ શકે છે અથવા તેઓને તેમની વર્તમાન નોકરીમાં નવી જગ્યા મળી શકે છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને સફળતા મળશે. આવકમાં વધારો થવાને કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. પહેલા કરતા વધુ બચત કરી શકશો.
મિથુન રાશિ- આ રાશિના જાતકોને સૂર્યગ્રહણનો ધન લાભ થશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. નવા દંપતીઓ માટે સંતાન પ્રાપ્તિની શક્યતાઓ છે. જો તમે રાજકારણમાં છો તો તમારું પદ અને પ્રતિષ્ઠા વધવાની છે. સૂર્યગ્રહણની અસરને કારણે તમારી રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. વેપારમાં લાભની નવી તકો મળશે. ધનલાભની સંભાવના છે.
ધનુ રાશિ- આ રાશિના જાતકો ને ભાગ્ય સાથ આપશે. આ લોકોને તેમના કરિયરમાં પ્રગતિ મળશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. નોકરી કરતા લોકોના પદમાં વધારો થઈ શકે છે. તેમ છતાં તમારે તમારા સાથીદારો સાથે યોગ્ય વર્તન કરવું પડશે.
સિંહ રાશિના જાતકોએ ખાસ સાવધ રહેવું પડશે. સૂર્યગ્રહણ સિંહ રાશિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. શિક્ષણ અને કરિયરના ક્ષેત્રમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કામ અટકી જવાના સંકેત પણ મળી રહ્યા છે.
વૃશ્ચિક રાશિ- આ રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ શુભ નથી. પૈસાનો દુરૂપયોગ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. બેંકમાંથી લોન લેવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારા શત્રુઓ પણ હાવી થઈ શકે છે. અકસ્માત થવાની સંભાવના છે, તેથી વાહન સાવધાનીથી ચલાવવું પડશે.
મકર રાશિ- આ રાશિના લોકો માટે લોકો નોકરી અને વ્યવસાયમાં સૂર્યગ્રહણની નકારાત્મક અસર જોઈ શકે છે. ધીરજ સાથે નવા પડકારોનો સામનો કરો. માનસિક તણાવથી પીડાઈ શકો છો. તમારા સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે. વૈવાહિક જીવન પણ પ્રભાવિત થઈ શકે છે.
મીન રાશિના લોકોએ થોડા વધુ સાવધ રહેવું પડશે. તમારે સાવધાનીથી વાહન ચલાવવું પડશે, નવા રોકાણથી બચવું પડશે અને વાદ-વિવાદથી દૂર રહેવું પડશે.
આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…
આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ
આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર