દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 9 નવેમ્બર 2020, સોમવાર
- તિથિ – આસો સુદ નવમી
- રાશિ – કર્ક (ડ,હ) 8.43 પછી સિંહ (મ,ટ)
- નક્ષત્ર – આશ્લેષા
- યોગ – બ્રહ્મા
- કરણ – કૌલવ
દિન વિશેષ –
- શુભ ચોઘડીયું – સવારે 9.34 થી 10.59
- વૈધૃતિ અને મહાપાત યોગ સવારે 10.45 થી સાંજે 4.27 સુધી
- વૈધૃતિ અને મહાપાત અશુભ યોગ છે
- શુભ દિવસમાં ગણતરી નથી
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- કાર્યજનો જમાવડો થઈ જાય
- જૂના કાર્યોને ઉકેલવા પડે
- ધનલાભ થાય
- રાજનીતિ સાથેનાને લાભ
* વૃષભ (બ,વ,ઉ) –
- પ્રશ્નો સામે આવે
- જૂના પ્રશ્નોમાં મન અટવાઈ જાય
- ધન સંબંધી કાર્યો માટે લોનની વિચારણા કરવી પડે
- મોડી સાંજે મન પ્રફુલ્લિત રહે
* મિથુન (ક,છ,ઘ) –
- અકસ્માતથી સાચવવું
- વૃદ્ધોએ ખાસ સાચવવું
- જુદા જુદા અનેક કાર્યોની ચિંતા રહે
- કાયદાનું પાલન કરવું
* કર્ક (ડ,હ) –
- મન અશાંત રહે
- ઘરમાં વિખવાદ થઈ શકે
- અચાનક પ્રવાસ થાય
- મનમાં વિચારવાયુ રહે
* સિંહ (મ,ટ) –
- હઠીલા રોગથી સાચવવું
- ઘરમાં માંદગીનું વાતાવરણ ન થાય તે જોવું
- મોજશોખમાં ખર્ચ વધી જાય
- મોટા સંતાનથી લાભ રહે
* કન્યા (પ,ઠ,ણ) –
- શેરબજારમાં જૂના રોકાણથી લાભ થઈ શકે
- સંતાન સંબંધી જૂના પ્રશ્નો ઉકલી શકે
- દાંતની પીડાથી સાવધાન
- ભાષા ઉપર સંયમ રાખજો
* તુલા (ર,ત) –
- જીવનસાથી સાથે મતભેદ થઈ શકે
- કોર્ટ સુધી મામલો ન પહોંચવા દેવો
- સંયમ જાળવવો
- ગણેશજીની ઉપાસના કરવી
* વૃશ્ચિક (ન,ય) –
- જમીન મકાનથી લાભ
- ધન પ્રાપ્તિના અવસર રહે
- પિતાનું આરોગ્ય જાળવવું
- ગુસ્સા ઉપર કાબૂ રાખવો
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- સૈદ્ધાંતિક મતભેદ રહે
- અતિશય ગુસ્સો ન કરવો
- પિતાતુલ્ય વ્યક્તિ સાથે મતભેદ રહે
- સરકારી નોકરી હોય તો સાચવવું
* મકર (ખ,જ) –
- ઉંમરલાયક દંપતિને પ્રેમ વધે
- સૂઝ-સમજથી કાર્યો થાય
- પ્રવાસ વધે
- સંતાનથી અસંતોષ રહે
* કુંભ (ગ,શ,સ,ષ) –
- નોકરીમાં લાભ રહે
- સ્થાનાંતર થઈ શકે
- વેપારમાં મંદિ જણાય
- જીવને અસુખ વર્તાય
* મિન (દ,ચ,ઝ,થ) –
- ભાગ્ય બળવાન છે
- દોડધામ વધે પણ કાર્ય થાય
- પ્રવાસ થાય
- સવારનો સમય ચિંતામય વિતે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શિવજીને સફેદ તલનો અભિષેક કરવો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.