Junagadh/ લીલી પરિક્રમાને લાગ્યું કોરોનાનું ગ્રહણ, ચાલુ વર્ષે નહીં યોજાય લીલી પરિક્રમા

જીલ્લામાં દર વર્ષે કાર્તિક માસની અગિયારસના દિવસે શરુ થતી લીલી પરિક્રમા આ વર્ષે નહી યોજાય. જીલ્લામાં વકરતા કોરોનાને ધ્યાનમાં રાખી જીલ્લા પ્રશાશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યને દિવાળી ઉઅપર કોરોનાની મોટી ભેટ મળી છે. રાજ્યમાં ફરીએકવાર કોરોના વાઇરસે માઝા મૂકી છે. અન્લોકમાં આપેલી છૂટનો દુરપયોગ હવે જનતા ને ભારે પડી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંકાર્મીતોનો આંક ૨ લાખની નજીક પહોચવા આવ્યો છે. ત્યારે, રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કર્ફ્યું નાખવામાં આવ્યો છે. તો અમદાવાદમાં સતત ૫૭ કલાકનો કર્ફ્યું છે.

Girnar Photos - View 42 High Resolution Pictures | HolidayIQ

રાજ્યમાં વધતા કોરોનાની અસર આગામી તહેવારો અને ઉત્સવ અને સામાજિક પ્રસંગો ઉપર પડી શકે છે. હાલમાં જુનાગઢ જિલ્લા કલેકટરે જાહેરાત કરતા જણાવ્યું છે કે, જીલ્લામાં દર વર્ષે કાર્તિક માસની અગિયારસના દિવસે શરુ થતી લીલી પરિક્રમા આ વર્ષે નહી યોજાય. જીલ્લામાં વકરતા કોરોનાને ધ્યાનમાં રાખી જીલ્લા પ્રશાશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગીરનાર ને કેન્દ્રમાં રાખીને તેની ફરતે કરવામાં આવતી પ્રદાક્શીનાને લીલી પરિક્રમા કહેવામાં આવે છે. જેમાં ગુજરાતના ઘણા શહેરો અને ગામડામાંથી કીડીયારાની જેમ માનવ મહેરામણ ઉમટી પડે છે. ભેગી થતી જનમેદનીને ધ્યાનમાં રાખીને જીલ્લા કલેકટર દ્વારા આ વર્ષે લીલી પરીક્રમનું આયોજ કેન્સલ કરવાનો નીર્ન્બાય લેવામાં આવ્યો છે.