ANDHRAPRADESH/ રહસ્યમય બીમારીથી 500થી વધુ લોકો સંક્રમિત, લોહીના નમૂનામાં મળી આવ્યું….

આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસ અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોને સંક્રમિત કરી ચુક્યો છે. તે દરમિયાન, એક બીજો રહસ્યમય રોગ રાજ્યના લોકોને ઘેરી રહ્યો છે. અત્યાર સુધી 500 લોકોને આ રહસ્યમય રોગનો ચેપ લાગ્યો છે.

Top Stories India

આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસ અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોને સંક્રમિત કરી ચુક્યો છે. તે દરમિયાન, એક બીજો રહસ્યમય રોગ રાજ્યના લોકોને ઘેરી રહ્યો છે. અત્યાર સુધી 500 લોકોને આ રહસ્યમય રોગનો ચેપ લાગ્યો છે.

આ રોગના કારણે આંધ્રપ્રદેશના એલુરુમાં ભયનો માહોલ સર્જાયો છે. આ રોગથી દર્દીના મોત થયાના સમાચાર પણ છે. આ દર્દીઓના તબીબી અહેવાલોમાં જાણવા મળ્યું છે કે જે લોકો આ રોગની પકડમાં આવ્યા છે, તેઓને તેમની રક્ત પરીક્ષણમાં સીસું અને નીકલ મળ્યું છે.

અત્યાર સુધીમાં 510 થી વધુ લોકોને આ રોગનો ચેપ લાગ્યો છે. જો કે, રાહતની વાત છે કે 430 દર્દીઓ તેની સારવાર કર્યા પછી સ્વસ્થ થઈ ગયા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન એકે કૃષ્ણા શ્રીનિવાસે લોકોને આ સ્થિતિમાં ગભરાઈ ન જવાની અપીલ કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે, આજે 40 કરતા ઓછા દર્દીઓ દેખાયા છે. તેમણે વધુમાં કહ્યું કે અમે આ રોગના કારણો શોધવા પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી, એઈમ્સ દિલ્હીના પ્રારંભિક અહેવાલમાં કેટલાક લોહીના નમૂનાઓમાં સીસું અને નિકલ મળી આવ્યા છે.

આ સિવાય નેશનલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન હૈદરાબાદના વૈજ્ઞાનિક કહે છે કે લોહીના નમૂનામાં સીસા અને નિકલ જેવી ભારે ધાતુઓની હાજરી ન્યુરોલોજીકલ સમસ્યા દર્શાવે છે. સંસ્થાનું કહેવું છે કે તેને રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…