New Delhi/ CAPF જવાનોને ગૃહપ્રધાને આપી ભેટ, આયુષ્માન ભારતનો દેશની 24 હજાર હોસ્પિટલોમાં મળશે લાભ

આયુષ્માન સીએપીએફ યોજના હેઠળ સીએપીએફના લગભગ 10 લાખ જવાનો અને અધિકારીઓ અને 50 લાખની આસપાસ તેમના પરિવારના સભ્યો દેશની અંદર 24 હજાર હોસ્પિટલોમાં માત્ર કાર્ડ લઈને તેને સ્વેપ કરી સારવાર કરાવી શકે છે…

India

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામની રાજધાની ગુવાહાટીમાં સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) જવાનો અને તેમના પરિવારો માટે આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, સીએપીએફ યોજના શરૂ કરવા માટે આજથી સારો દિવસ કોઈ ન હોઈ શકે. સુભાષ બાબુ એવા વ્યક્તિત્વ હતા કે જેમને કોઈએ કોઈ એવોર્ડ આપ્યો નથી, જનતા નેતાજીનો આદર કરીને તેમને યાદ કરે છે. નેતાજીએ સૂત્ર આપ્યો – તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા. આ સૂત્ર હજી પણ દેશના યુવાનોમાં ચેતના અને ઉત્સાહને ભરે છે. દેશભક્તિને પ્રોત્સાહન આપે છે.

તેમણે કહ્યું, ‘આયુષ્માન સીએપીએફ યોજના હેઠળ સીએપીએફના લગભગ 10 લાખ જવાનો અને અધિકારીઓ અને 50 લાખની આસપાસ તેમના પરિવારના સભ્યો દેશની અંદર 24 હજાર હોસ્પિટલોમાં માત્ર કાર્ડ લઈને તેને સ્વેપ કરી સારવાર કરાવી શકે છે.’

અમિત શાહે કહ્યું, “સીએપીએફના તમામ જવાનો અને તેમના પરિવારોને આરોગ્ય કાર્ડ આપવામાં આવશે. દર વર્ષે, સીએપીએફના જવાનોની આરોગ્ય પરીક્ષણો કરવામાં આવશે. હેલ્થ કાર્ડથી તમે કોઈપણ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મેળવી શકો છો. કોરોના સામેની લડતમાં સીએપીએફના જવાનો, પોલીસ કર્મચારીઓ ફ્રન્ટ લાઇન પર ઉભા હતા.

આ દરમિયાન ઘણા સૈનિકોને પણ ચેપ લાગ્યો હતો, ઘણા સૈનિકોએ પણ જીવ ગુમાવ્યો હતો. હું તમામ સૈનિકોને અભિનંદન આપું છું કે તમે આ લડતમાં સફળ ભૂમિકા ભજવી. ‘

શાહે કહ્યું, ‘કોરોના રસી પર જે રાજનીતિને કરી રહ્યા છે, તેઓને હું કહેવા માંગુ છું કે રાજકારણ કરવા માટે બીજા ઘણા પ્લેટફોર્મ છે. જે રસી બનાવવા માટે આપણા વૈજ્ઞાનિકોએ સખત મહેનત કરી છે તેના પર તમે કેમ રાજકારણ કરો છો? ‘

તેમણે કહ્યું, ‘પ્રારંભિક તબક્કે ત્યાં ઘણી શંકા હતી કે 130  કરોડની વસ્તી ધરાવતો દેશ, જેની આરોગ્ય સુવિધાઓનો બીજો વર્ગ માનવામાં આવે છે, તે તેની સાથે કેવી રીતે કાર્યવાહી કરશે. પરંતુ, જ્યારે અમે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પગલાં લીધાં, ત્યારે રાષ્ટ્ર કોરોના સામે લડવા માટે એકસાથે આવ્યું. ‘

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો