દેશની રાજધાની નવી દિલ્હીમાં શનિવારની રાતના કેટલાક લોકોએ તે સમયે ચોંકી ગયા હતા, જ્યારે તેઓને ખાન માર્કેટ મેટ્રો સ્ટેશનના પાસે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા સાંભળ્યા છે. લોકોએ ધ્યાનથી જોયું તો કેટલાક Yulu bikes પર બાઈક પર સવાર કેટલાક યુવાઓ આ નારા લગાવી રહ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. ઘટના સ્થળે પહોંચેલી દિલ્હી પોલીસે તાત્કાલિક યુવાનોના રોક્યા અને તપાસ શરૂ કર્યા.
દિલ્હી પોલીસે બાદમાં જણાવ્યું કે ગઈકાલે રાત્રે એક પીસીઆર કોલ આવ્યો જેમાં 6 જેટલા લોકોને ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન નજીક પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા સાંભળવામાં આવ્યાં. જાણવા મળ્યું હતું કે ભાડાની બાઇક પર રેસ દરમિયાન, તેઓએ એક બીજાના નામ પાકિસ્તાનના નામ સહિતના દેશોના નામ પર રાખ્યા હતા.
Delhi| PCR call about 6 people heard sloganeering Pakistan Zindabad near Khan Market metro station received last night. It was found that during racing on rental bikes, they kept each other's names based on countries incl Pakistan. The slogan was raised in a lighter vein: Police
— ANI (@ANI) January 24, 2021
પોલીસે નિવેદનમાં જણાવ્યું છે કે રાત્રે 1 વાગ્યાની આસપાસ કેટલાક લોકો તુગલક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા સાંભળ્યા હતા. આ લોકોમાં પુરુષોમાં 2 પુરુષો, 3 મહિલાઓ અને 1 કિશોરનો સમાવેશ થાય છે, તે બધા Yulu bikes પર સવાર હતા. પોલીસ દ્વારા જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું કે બે પરિવારો ઈન્ડિયા ગેટ અને આસપાસ આવેલા છે. તેઓએ Yulu bikes ભાડે આપી હતી.
જેના પર તેઓએ રેસિંગ શરૂ કરી અને પોતાનું નામ પાકિસ્તાન સહિત વિવિધ દેશોના નામે રાખ્યા. પોલીસે જણાવ્યું હતું કે રેસ દરમિયાન તેઓએ એક બીજાને હળવા દિલથી વાતાવરણમાં પ્રોત્સાહન આપવા પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા તે દેશોના નામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ હજી પણ આ પરિવારોની પૂછપરછ કરી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
