દેશમાં ફરી એક વખત કોરોનાના નવા કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા કલાકમાં 18,900 નવા કેસ જોવા મળ્યા છે.તેની પાછળનું મૂળ કારણ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં છત્તીસગઢમાં જ કોરોનાના કેસમાં ખૂબ જ ઉછાળો જોવા મળ્યો છે કે જ્યાં છેલ્લા 24 કલાકમાં 6400 નવા કેસ નોંધાયા છે.દેશના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આંકડામાં સુધારો કરવામાં આવ્યો છે તેના પરથી અનુમાન કરવામાં આવી શકે છે કે અગાઉ ની ભૂલ સુધારવામાં આવી હોઈ શકે છે.
Indian Railway / રેલ્વેના મુસાફરોને સામાન ઉપાડીને સ્ટેશન પર લઈ જવામાંથી મળશે મુક્તિ, અમદાવાદમાં આ સુવિધાનો પ્રારંભ
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના વેક્સિન આવવાથી લોકોમાં આશાની નવી કિરણ જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરેલા આંકડા પ્રમાણે સંખ્યામાં ઘટાડા સામે સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો હતો. આજે છત્તીસગઢના કારણે ઉછાળો જોવા મળ્યો છે.છેલ્લાં 24 કલાકમાં રિકવરી 20,300 પર પહોંચી છે.
MP / હજારો પોલીસ કર્મચારીઓના હોદ્દાનું નામ બદલાશે, મળશે પ્રભારીનું પદ
દેશમાં હાલ 1.69 લાખ લોકો કોરોનાના એક્ટિવ કેસ છે. તેની વચ્ચે સાજા થયેલ દર્દીઓનો કુલ આંક 1.02 કરોડને પાર થયો છે. તે જોતાં આવનારા દિવસોમાં ભારતમાં સામાન્ય જીવન શક્ય બનશે તેવું લાગી રહ્યું છે.અત્યાર સુધીમાં દેશમાં જે રીતે કોરોના વેક્સિનેશનની કામગીરી થઇ રહી છે તે જોતા નજીકના સમયમાં ભારત કોરોના મુક્ત થાય તેવી આશા લોકોમાં જોવા મળી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…