ટ્વિટર સામે ભારત સરકારનું કડક વલણ હવે દેખાઈ રહ્યુ છે. સરકારનાં કડક આદેશો બાદ સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે તેના 97 ટકા એકાઉન્ટ્સને સંપૂર્ણ રીતે બંધ કરી દીધા છે. આ એવા એકાઉન્ટ્સ છે કે જેની આઇટી મંત્રાલયે ફરિયાદ કરી હતી કે તેઓ બધા ખેડૂત આંદોલન વિશે ભડકાઉ હેશટેગ્સથી ટ્વીટ કરી રહ્યા છે. સરકારનો આરોપ છે કે આ તમામ એકાઉન્ટ્સમાં ખાલિસ્તાન અને પાકિસ્તાન પ્રત્યેની સહાનુભૂતિ રાખનારાઓનું સમર્થન છે. ટ્વિટરનાં આ પગલાથી હવે સરકારની સાથેનો ક્લેશ ઓછો થવાની સંભાવના છે.
સરકારે કંપનીને કુલ 1435 ટ્વિટર એકાઉન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 1398 એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, ટ્વિટર દ્વારા આ કાર્યવાહી તે બેઠક પછી આવી હતી, જેમાં આઇટી સેક્રેટરી અજય પ્રકાશ સહિત અનેક અધિકારીઓએ ટ્વિટરનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે કંપનીએ ભારતનાં કાયદાઓનું પાલન કરવાનું જ રહેશે. આ બેઠક પછી જ યુએસ કંપની ટ્વિટર દ્વારા સંબંધિત યૂઝર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પહેલા બુધવારે સરકારે ટ્વિટર પર ખેડૂત આંદોલન અંગે પ્રચાર અને પ્રચાર ફેલાવનારા એકાઉન્ટ્સ અને હેશટેગ સામે તાકીદે કાર્યવાહી કરવામાં વિલંબ અંગે ‘જોરદાર નારાજગી’ વ્યક્ત કરી હતી. માહિતી ટેકનોલોજી મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, કંપનીનાં પોતાના નિયમો હોઈ શકે છે, પરંતુ તેણે દેશનાં કાયદાઓનું પાલન કરવું જ જોઇએ.
Political / બંગાળમાં મમતાને વધુ એક ઝટકો, TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ આપ્યું રાજીનામુ
Political / લો બોલો!! રાહુલ ગાંધીને પોતાના પરિવારનાં ઈતિહાસ વિશે પણ નથી ખબર: અનિલ વિજ
APPOINT / મલ્લિકાર્જુન ખડગે બનશે રાજ્યસભામાં નવા વિપક્ષ નેતા, ગુલામનબી આઝાદની લેશે જગ્યા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
