Corona/ પ્રજ્ઞાચક્ષુ સ્કૂલમાં એકસાથે 25 બાળકો અને 4 કર્મચારીને કોરોના પોઝિટીવ, વાલીઓમાં ચિંતા

રાજસ્થાનના ઉદયપુર શહેરમાં એકસાથે 29 લોકોને કોરોના પોઝિટીવ આવતા ચકચાર મચી ગઇ છે. અંબામાતા વિસ્તારમાં આવેલી રાજ્યની પ્રજ્ઞાચક્ષુ ઉચ્ચતર માધ્યમિક શાળાએ એક સાથે 25 બાળકો અને 4 સ્ટાફ કર્મચારીઓમાં કોવિડ -19 ચેપની પુષ્ટિ થઇ છે. લાંબા સમય બાદ ઉદેપુરમાં એક જગ્યાએ 29 લોકોમાં ચેપ હોવાની પુષ્ટિ થતાં જિલ્લા વહીવટી તંત્રમાં હંગામો મચી થયો હતો. તમામનો […]

India

રાજસ્થાનના ઉદયપુર શહેરમાં એકસાથે 29 લોકોને કોરોના પોઝિટીવ આવતા ચકચાર મચી ગઇ છે. અંબામાતા વિસ્તારમાં આવેલી રાજ્યની પ્રજ્ઞાચક્ષુ ઉચ્ચતર માધ્યમિક શાળાએ એક સાથે 25 બાળકો અને 4 સ્ટાફ કર્મચારીઓમાં કોવિડ -19 ચેપની પુષ્ટિ થઇ છે. લાંબા સમય બાદ ઉદેપુરમાં એક જગ્યાએ 29 લોકોમાં ચેપ હોવાની પુષ્ટિ થતાં જિલ્લા વહીવટી તંત્રમાં હંગામો મચી થયો હતો.

તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર પણ કાર્યવાહીમાં લાગી ગયું છે અને જિલ્લા કલેક્ટર ચેતન દેવડા, એસપી ડો.રાજીવ પચાર અને સીએમએચઓ ડૉ.દિનેશ ખરાડી અને પુરુ મેડિકલ અને વહીવટી કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Over 30 Indian vaccines in works for corona vaccine development, PM Modi told - The Economic Times

વિસ્તારને સીલ કરવાની કાર્યવાહી
તબીબી વિભાગ દ્વારા સમગ્ર બ્લાઇન્ડ સ્કૂલ કેમ્પસને સ્વચ્છ કરી દેવાયુ છે. હકીકતમાં એક શિક્ષકને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યા પછી તમામ 80 બાળકો અને 10 સ્ટાફ સભ્યોની તપાસ કરવામાં આવી હતી. અહેવાલ આવે ત્યારે કુલ 29 લોકોએ ચેપની પુષ્ટિ થઇ છે. આ વિસ્તારમાં હાલ સીલ કરવાનો કાર્ય શરુ દેવામાં આવ્યું છે.

Today Active Corona Cases Of Uttarakhand 4 March 2021: 100 Infected Patients Found In 24 Hours After Many Hours - Corona In Uttarakhand: कई दिन बाद 24 घंटे में मिले 100 संक्रमित,

શિક્ષકનો રિપોર્ટ પોઝિટીવ આવતા તમામને ચેપ લાગ્યો
કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલા એક શિક્ષકની કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ બાળકોના નમૂના લેવાયા હતા. એક અંદાજ મુજબ આ તમામ બાળકો શિક્ષકના સંપર્કમાં આવ્યા પછી જ પોઝિટીવ આવ્યા છે. એક શિક્ષકને ચેપ લાગ્યાં પછી, આચાર્યએ તમામની તપાસ કરાવી હતી. તબીબી વિભાગ દ્વારા અંધ શાળાના 80 બાળકો અને 10 સ્ટાફના નમૂના લેવામાં આવ્યા હતા. તેનો અહેવાલ આવતા 25 બાળકો અને ત્રણ કર્મચારીઓએ ચેપની પુષ્ટિ થઇ છે.