History/ શું તમે જાણો છો 23 માર્ચે જ કેમ શહીદ દિવસ મનાવવામાં આવે છે?

અંગ્રેજોનાં રાજમાં ભારતનાં વીર પુત્રોએ આઝાદીને મેળવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતુ.

Trending

અંગ્રેજોનાં રાજમાં ભારતનાં વીર પુત્રોએ આઝાદીને મેળવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતુ. જણાવી દઇએ કે, દર વર્ષે 23 માર્ચે રાજગુરુ, ભગતસિંહ અને સુખદેવજીની સ્મૃતિમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ તે દિવસ છે જે દિવસે આ ત્રણેય સ્વાતંત્ર્ય સેનાનીઓને ફાંસી આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં શહીદ દિવસે દેશને આઝાદ કરવા અને દેશની રક્ષા માટે પોતાનો બલિદાન આપનારા આ નિર્ભીક શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર રાષ્ટ્ર શ્રધ્ધાંજલિ પાઠવે છે.

ગાંધીનગર / શું જીગ્નેશ મેવાણીનો અવાજ દબાવવાનો છે પ્રયત્ન? જાણો શું કહે છે અપક્ષ ધારાસભ્ય?

ભારતમાં શહીદ દિનની ઉજવણી બે દિવસ કરવામાં આવે છે. પ્રથમ 30 જાન્યુઆરીએ અને બીજો 23 માર્ચનાં દિવસે. આ બંને દિવસોમાં, આપણે દેશની રક્ષામાં પોતાનો બલિદાન આપનારા સૈનિકોને યાદ કરીએ છીએ. 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધી અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવામા આવતી હોય છે અને 23 માર્ચે ભારતનાં ત્રણ અસાધારણ યુદ્ધ લડવૈયાઓ, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવનાં બલિદાનની સ્મૃતિ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જો કે આપણા દેશને અંગ્રેજોની પકડમાંથી મુક્ત કરવામાં ઘણા સ્વતંત્રતા સેનાનીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમ છતાં, તેમાંના ત્રણ એવા વીર છે જેઓ ક્યારેય બ્રિટીશરો સામે ઘૂંટણીયે બેઠા નથી. તેઓએ અસાધારણ ભૂમિકા નિભાવતા ભારતને આઝાદી અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ ભારતને આઝાદ કરવા દરેક શક્ય વસ્તુ અજમાવી જોઇ હતી. આ ત્રણ નાયકો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ હતા. 23 માર્ચે તેઓને બ્રિટીશ સરકારે ફાંસી આપી હતી. તેમની દેશભક્તિની ભાવના અને લડાકુ વલણને કારણે, તે આજે પણ ભારતનાં યુવાનો માટે પ્રેરણારૂપ સ્ત્રોત માનવામાં આવે છે. આ નવા યુવાનોએ તે સમયે બાપુથી એક અલગ રસ્તો અપનાવ્યો હતો, એટલે કે, અહિંસા, પરંતુ આ પગલું ફક્ત દેશનાં કલ્યાણ માટે હતું. ખૂબ જ નાની ઉંમરે, તેમણે હિંમતભેર પોતાના દેશની આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપ્યુ હતુ. શહીદ દિવસ 23 માર્ચે આ લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે.

Cricket / ઈન્ડિયા-ઈંગ્લેન્ડ આજથી વન-ડે સીરીઝ માટે તૈયાર, દોઢ વાગ્યાથી થશે મેચનો પ્રારંભ

શહીદ દિન નિમિત્તે ભારતના લોકો શહીદોના બલિદાનને યાદ કરે છે અને તેમને સલામ કરે છે. આ ઉપરાંત દેશનાં વિશેષ લોકો એકઠા થાય છે અને પ્રતિમાઓ અને મૂર્તિઓ પર ફૂલ અર્પણ કરી શહીદોને યાદ કરે છે. આ સિવાય દેશની સશસ્ત્ર સૈન્ય પણ દેશનાં સૈનિકોને માનભર્યા સલામી આપે છે. આ દિવસે શાળાઓ અને કોલેજોમાં ડિબેટ, ભાષણો, કવિતાઓ, પાઠો અને નિબંધો જેવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે અને દેશનાં શહીદો જવાનોને યાદ કરવામા આવે છે. આજે દેશનો બાળક પણ જાણે છે કે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે ભારતે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો અને પછી આપણને આઝાદી મળી હતી. આવી સ્થિતિમાં, લોકોનાં દિલમાં શહીદો માટે આદર ઉત્પન્ન કરવાની જાગૃતિને કારણે શહીદ દિવસ દર વર્ષે ચોક્કસ દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરીને આપણે આપણા શહીદોને શ્રદ્ધાંજલિ જ નહીં, પણ આજની પેઢી અને યુવા પેઢીને તે શહીદોનાં જીવન અને બલિદાનનો પરિચય આપીએ છીએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ