ધર્મ વિશેષ/ મહામારીમાં સ્વજનના મોત બાદ થતા અંતિમ સંસ્કાર વિષે શું કહે છે શાસ્ત્રો ..?

આ બે સંસ્કારો સહિત તમામ સોળ સંસ્કારો કરવામાં માટે કેટલાક વિધિ વિધાનો ઉલ્લેખ છે. જે અનુસાર યથા સમયે આપને આ સંસ્કાર કરવા સંપૂર્ણ નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં, આપણી પેઢી અને દેશ “કોરોના” રોગચાળા સામે ઝઝૂમી રહ્યો છે. આ રોગચાળો લોકોથી તેમના પ્રિયજનોને અકાળે છીનવી રહી છે.

Trending Dharma & Bhakti

આપણા સનાતન ધર્મમાં સોળ સંસ્કારોનું વિશેષ મહત્વ છે. ગર્ભધાન પ્રવેશથી માંડીને દેહત્યાગ સુધી વ્યક્તિ સોળ વિવિધ સંસ્કારોમાંથી પસાર થાય છે. સનાતન ધર્મ અનુસાર, બધા સોળ સંસ્કાર જરૂરી છે, પરંતુ દેશ-સમય-પરિસ્થિતિ મુજબ કેટલાક સંસ્કારો માં ફેરફાર જોવા મળે છે. આ સોળ સંસ્કાર માં બે સૌથી વધુ મહત્વના છે પહેલો ગર્ભધાન અને બીજો એટલે અંતિમ સંસ્કાર.  કારણ કે ગર્ભધાન સંસ્કાર દરમિયાન ગર્ભમાં શ્રેષ્ઠ આત્માનું આહ્વાન કરીએ છીએ. જયારે અંતિમ સંસ્કાર આપને એજ આત્મા ને આ ધરતી ઉપરથી  વિદાય આપીએ છીએ.

આપણા શાસ્ત્રોમાં, આ બે સંસ્કારો સહિત તમામ સોળ સંસ્કારો કરવામાં માટે કેટલાક વિધિ વિધાનો ઉલ્લેખ છે. જે અનુસાર યથા સમયે આપને આ સંસ્કાર કરવા સંપૂર્ણ નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં, આપણી પેઢી અને દેશ “કોરોના” રોગચાળા સામે ઝઝૂમી રહ્યો છે. આ રોગચાળો લોકોથી તેમના પ્રિયજનોને અકાળે છીનવી રહી છે.

આ મહામારી થી બચવા માટે ડોકટરો દ્વારા આ બીમારીથી જીવ ગુમાવનારા સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા માટે વિશેષ સલાહ આપવામાં આવી છે, જેમાં પ્રિયજનોને સ્મશાનથી દૂર રાખવામાં આવે છે. આજે, ઘણાં શહેરોમાં “લોકડાઉન” પણ સ્થાપિત થયેલ છે, જેના કારણે અંતિમ સંસ્કાર કે તે પછીની ક્રિયાઓ યોગ્ય રીતે પૂર્ણ થતી નથી. આપણા શાસ્ત્રો અનુસાર, જો કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર સંપૂર્ણ  વિધિ વિધાન સાથે કરવામાં ન આવે તો તેના આત્માને મોક્ષ નથી મળતો.

Bhopal crematoriums flooded with bodies: 187 cremated following Covid norms  while records show only 5 deaths - Cities News

આવી સ્થિતિમાં, વિદાય થયેલ લોકોના સંબંધીઓની સામે એક મોટી મૂંઝવણ છે કે તેમના પ્રિયજનોને શાસ્ત્ર અનુસાર વિદાય કેવી રીતે  આપી શકાય, જેથી સદગતના આત્માને મોક્ષ મળે.

આપ સૌ જાણતા હશો કે આ રોગચાળાથી મરી ગયેલા લોકોના અંતિમ સંસ્કારમાં, તેમના પરિવારના સભ્યોને દૂર રાખવામાં આવી રહ્યા છે અને ઉત્તર ક્રિયા માટે બ્રાહ્મણો ઉપલબ્ધ નથી, આવી રીતે, તેમના આ સંદર્ભમાં શ્રધ્ધા કરવામાં આવે છે તેની શાસ્ત્રમાં સ્પષ્ટ સૂચના છે – “श्रद्धया इदं श्राद्धम्” એટલે કે શ્રદ્ધા જ શ્રાદ્ધ છે. આ નિયમ મુજબ નીચે આપેલા કાર્યો દસ કે તેર દિવસ (દેશ-સમય-લોક પરંપરા મુજબ) તમારા સ્વર્ગસ્થ પ્રિયજનો માટે સંપૂર્ણ આદર સાથે કરો.

COVID-19 surge: Karnataka identifies two cremation grounds near Bengaluru |  The News Minute

૧. શાસ્ત્રોનો શબ્દ છે- “तस्माच्छ्राद्धं नरो भक्त्या शाकैरपि यथाविधि” એટલે કે ધનાભાવ અથવા અન્ય કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં, મૃત વ્યક્તિનું કુટુંબ માત્ર શાક (લીલા શાકભાજી વગેરે) દ્વારા શ્રાદ્ધ કરી શકે છે. શ્રાદ્ધ કુટપાકલ (11: 35 થી 12: 35) ની વચ્ચે દસ કે તેર દિવસ સુધી દરરોજ ગાયને શાક ​​ખવડાવીને  કરી શકાય છે.

શાકની અનુપલબ્ધતા પર, વિષ્ણુ પુરાણ નિર્દેશ છે કે, કુટપકલ દરમ્યાન, શ્રાદ્ધકર્તા એકાંતમાં ખુલ્લા આકાશ નીચે  આકાશ તરફ હાથ ઉંચા કરીને પ્રાર્થના કરે છે- “હે મારા પ્રિયજનો! મને શ્રાદ્ધ કરવા માટે અનુકૂળ સ્થિતિ નથી. પણ મારી પાસે તમારૂ શ્રાદ્ધ કરવા માટે ભક્તિ છે.  હું આ દ્વારા તમને સંતોષ આપવા માંગુ છું અને હું શાસ્ત્રમાં વર્ણન કર્યા અનુસાર  મારા બંને હાથ આકાશમાં ઊંચા કર્યા છે.  તમે મારી ભક્તિ અને શ્રદ્ધાથી તૃપ્ત થાઓ. “

૨. દીપદાન- દસ અથવા તેર દિવસો સુધી દક્ષિણ દિશામાં માં પોતાના દિવંગત પ્રિયજન માટે તલના તેલનો દીવો પ્રજ્વલિત કરો

નારાયબલી કર્મ-

પરિસ્થિતિ સામાન્ય થયા પછી “નારાયણબલી” કર્મ કરી શકાય છે. જો કોઈ તીર્થસ્થળ અથવા પવિત્ર નદીના કાંઠે નીકળવાની તારીખથી ત્રણ વર્ષમાં “નારાયણબલી” કર્મ કરવામાં આવે છે,