પશ્વિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ બાદ હિંસા ફાટી નીકળી હતી આ હિંસામાં ભાજપના ઘણા કાર્યકરોની હત્યા થઇ હતી .ત્યારબાદ પણ ભાજપના કાર્યકરો અને ટીએમસી કાર્યકરો વચ્ચે અવારનવાર સંઘર્ષ થતા રહે છે.બંગાળમાં ભાજપના ચૂંટાયેલા તમામ 77 ધારાસભ્યોને કેન્દ્રીય અર્ધસૈનિક દળોની સુરક્ષા આપવામાં આવશે.ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રીઓ પર સતત હુમલો થતો રહે છે .આના લીધે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
થોડા દિવસ પહેલા બંગાળના પશ્વિમ મિદનાપુરમાં કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનના કાફલા પર કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો ,હુમલામાં મંત્રીની ગાડીઓને નુકશાન થયો હતો.આ કેનદ્રીય મંત્રી મુરલીધરે હુમલાનો આરોપ ટીએમસીના કાર્યકર્તાઓ લગાવ્યો હતો.તેમણે હુમલાનો વીડિયો પણ જારી કર્યો હતો. જેમાં જોવાતું હતું કે કેટલાક અસમાજિક તત્વો લાકડીઓ દ્વારા વાહન પર હુમલો કર્યો હતો.