ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનાં માતા-પિતા કોરોનાથી સંક્રમિત થયા છે. ચહલની પત્ની અને કોરિયોગ્રાફર ધનાશ્રી વર્માએ ગુરુવારે આ માહિતી આપી હતી. ધનશ્રીએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ પોસ્ટ શેર કરતાં કહ્યું કે, ‘યુઝવેન્દ્રનાં પિતા એડવોકેટ કે.કે.ચહલને ગંભીર લક્ષણો હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે તેમની માતાને હોમ ક્વોરેન્ટીનમાં જ સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં ખરાબ પરિસ્થિતિ જોયા પછી, હું દરેકને સલામત રહેવાની વિનંતી કરું છું. છેલ્લા બે મહિના મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ સમય રહ્યા છે.’
કોરોનાથી નિધન / પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી આરપી સિંહનાં પિતાનું કોરોનાથી મોત
યુઝવેન્દ્ર ચહલની પત્નીએ કહ્યું, ‘એપ્રિલ અને મે મારા માટે ખરેખર પડકારજનક રહ્યા છે. પહેલા મારી માતા અને ભાઈ પોઝિટિવ આવ્યા હતા અને તે સમયે હું આઈપીએલ બાયો બબલમાં હતી અને તે સમયે પોતાને ખૂબ જ લાચાર સમજતી હતી, પરંતુ હું તેમનો સમય સમય હાલ-ચાલ પૂંછતી રહેતી હતી. તમારા પરિવારથી દૂર રહેવું ખરેખર મુશ્કેલ છે. સદભાગ્યે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ ગયા, પરંતુ કોરોનાને કારણે મેં મારી કાકી અને ખૂબ નજીકનાં કાકા ગુમાવ્યા છે અને હવે મારા પતિનાં માતા-પિતા ગંભીર લક્ષણો સાથે પોઝિટિવ જોવા મળ્યા છે.’
ક્રિકેટ / રમેશ પોવાર એકવાર ફરી બન્યા મહિલા ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ
ધનાશ્રીએ કહ્યું, ‘મારા સસરા હોસ્પિટલમાં દાખલ છે અને સાસુની ઘરે સારવાર ચાલી રહી છે. હું જ્યારે હોસ્પિટલમાં હતી ત્યારે મે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોઇ હતી. હું સંપૂર્ણ કાળજી લઈ રહી છું. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે ઘરે જ રહો અને તમારા પરિવારની સારી સંભાળ રાખો. નોંધનીય છે કે યુઝવેન્દ્ર ચહલ, જે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) નો ભાગ હતો, જુલાઈમાં ભારતનાં શ્રીલંકા પ્રવાસનો ભાગ બનશે. આ ટૂર પર ભારતીય ટીમ યજમાન સામે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ રમશે.