મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને તેમને મળવા પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ વડા પ્રધાન સાથે મરાઠા આરક્ષણ અને ચક્રવાત રાહત પગલાં માટે આર્થિક સહાય જેવા મુદ્દાઓ સાથે ચર્ચા કરશે. રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે આ માહિતી આપી છે. મુખ્યમંત્રીની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને જાહેર બાંધકામ પ્રધાન અશોક ચવ્હાણ પણ દિલ્હી પહોંચ્યા છે.
Maharashtra CM Uddhav Thackeray arrives at Delhi's IGI Airport, ahead of his meeting with PM Modi today
A delegation of state government led by CM Thackeray & Deputy CM Ajit Pawar will meet PM to discuss issues like Maratha reservation, OBC reservation, and cyclone relief pic.twitter.com/mdVn13OTtS
— ANI (@ANI) June 8, 2021
આ પણ વાંચો :પિતા મુલાયમસિંહે લગાવી રસી તો બદલ્યા અખિલેશ યાદવના સૂર, કહ્યું – અમે પણ…
મરાઠા અનામત અંગે અશોક ચવ્હાણ કેબિનેટ પેટા સમિતિના વડા છે. એક મહિના પહેલા, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં 2018 ના આરક્ષણ કાયદાને મરાઠા સમુદાયના લોકોને રોજગાર અને શિક્ષણમાં આરક્ષણ આપવાને લઈને કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો હતો. ગયા મહિને સીએમ ઠાકરેએ મરાઠા સમુદાયને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં એકીકૃત કરવા પત્ર લખ્યો હતો, જેથી તેઓ અનામતનો લાભ લઈ શકે.
આ પણ વાંચો :મુંબઈની હયાત રીજન્સી હોટલ બંધ, આ છે મોટું કારણ
સુપ્રીમ કોર્ટે મરાઠા સમુદાયને શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં અનામત આપવાના મહારાષ્ટ્રના કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આરક્ષણની 50 ટકા સીમા કરતા વધુ અસાધારણ સંજોગો નહોતા, જે 1992 માં નક્કી કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :પૂણેની સેનીટાઇઝ ફેક્ટરીમાં આગ લાગતા 18 લોકો બળીને ભડથુ, PM મોદી વ્યક્ત કર્યું દુઃખ
સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર થયા પછી, મહારાષ્ટ્ર સરકારે 31 મેના રોજ મરાઠા સમુદાયને આર્થિક નબળા આવક જૂથ (EWS) કેટેગરી હેઠળ આપવામાં આવેલા આરક્ષણનો લાભ જાહેર કર્યો હતો. સરકારે પોતાના આદેશમાં કહ્યું હતું કે મરાઠા સમુદાય 10 ટકા EWS આરક્ષણનો લાભ લઈ શકે છે.
આ પણ વાંચો : 5 મિનીટમાં હોસ્પિટલમાં દાખલ 22 દર્દીઓનાં થયા મોત, જાણો શું છે સમગ્ર મામલો
