સમગ્ર દુનિયામાં કોરોના મહામારીનાં કારણે ડરનો માહોલ જોવા મળે છે. કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 18.67 કરોડ થયા છે. વળી, આ મહામારીથી મૃત્યુઆંક વધીને 40.2 લાખ થઈ ગયો છે. આ મહામારી સામે વિશ્વભરમાં લગભગ 3.43 અબજ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ ડેટા શેર કર્યો છે.

મેઘાની ધમાકેદાર એન્ટ્રી / રાજ્યનાં 184 તાલુકામાં નોંધાયો વરસાદ, મેંદરડા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ
દુનિયામાં કોરોનાનાં કેસ અને મોતનો આંકડો
સોમવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, હાલનાં વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને વહીવટી રસીઓની સંખ્યા અનુક્રમે 18,67,45,380, 40,29,593 અને 3,43,55,38,242 છે. સીએસએઇ મુજબ, અમેરિકા કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશમાં નંબર વન પર છે. અમેેરિકામાં કેસ અને મોતનો આંક અનુક્રમે, 3,38,53,614 અને 6,07,155 પર છે. સંક્રમણનાં મામલામાં ભારત 3,08,37,222 કેસો સાથે બીજા નંબર પર છે. 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ (1,90,89,940), ફ્રાન્સ (58,74,719), રશિયા (57,13,351), તુર્કી (54,65,094), યુકે (51,39,162), આર્જેન્ટિના (46,47,948), કોલમ્બિયા (44,71,622), ઇટાલી (44,71,622), સ્પેન (39,37,192), જર્મની (37,43,732) અને ઇરાન (33,73,450) છે. મૃત્યુનાં સંદર્ભમાં, બ્રાઝિલ 5,33,488 મૃત્યુ સાથે બીજા ક્રમે છે. ભારતમાં (4,08,040), મેક્સિકો (2,34,907), પેરુ (1,93,230), રશિયા (1,40,635), યુકે (1,28,691), ઇટાલી (1,27,775), ફ્રાંસ (1,11,515) અને કોલમ્બિયા (1,11,731) માં 1,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

જય જગન્નાથ! / શું તમે જાણો છો અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદરિનાં ઈતિહાસ વિશે?
દેશમાં કોરોનાનાં કેસ અને મોતનો આંકડો
દેશભરમાં હવે કોરોનાની બીજી લહેરથી સતત રાહત મળી રહી છે. સોમવારે, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 37,154 નવા કેસોની પુષ્ટિ થઈ છે અને 724 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 3,08,74,376 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 4,08,764 પર પહોંચી ગયો છે. દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 4,54,118 છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના વાયરસનો રિકવરી દર હવે 97.22 ટકા છે. કોરોના વાયરસનાં એક્ટિવ કેસો કુલ કેસોનાં 1.46 ટકા છે અને દૈનિક પોઝિટિવિટી દર 2.59 ટકા છે.
India reports 37,154 new #COVID19 cases, 39,649 recoveries, and 724 deaths in the last 24 hours, as per Health Ministry
Total cases: 3,08,74,376
Total recoveries: 3,00,14,713
Active cases: 4,50,899
Death toll: 4,08,764Total vaccinated:37,73,52,501 (12,35,287 in last 24 hrs) pic.twitter.com/33XCllf6yV
— ANI (@ANI) July 12, 2021
આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કુલ 39,649 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જે અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3,00,14,713 પર પહોંચી ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,50,899 છે. સવારે 7 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા રસીકરણનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 37,73,52,501 લોકોને રસી આપવામાં આવી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 12,35,287 લોકોને રસી આપવામાં આવી છે.
