અફઘાનિસ્તાન માં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યાંના ઘણા પ્રાંતોની રાજધાની પર હવે તાલિબાન દળોનો કબજો છે. દરમિયાન, ત્યાં રહેતા ભારતીયો માટે ત્રીજી વખત મંગળવારે સુરક્ષા એડવાઇઝરી જારી કરવામાં આવી છે. કાબુલમાં ભારતીય દૂતાવાસના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે આ સલાહ તાજેતરમાં 29 જૂન અને 24 જુલાઈના રોજ જારી કરવામાં આવેલી બે સુરક્ષા એડવાઇઝરી સાથે સંબંધિત છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે અગાઉની બે એડવાઈઝરી માં આપવામાં આવેલી બે સલાહ હજુ પણ માન્ય છે અને તમામ ભારતીયોને સલાહ આપવામાં આવી છે કે વહેલી તકે ભારત તેમના વતન પરત આવી જવા વિનંતી કરવામાં આવી છે.
Security Advisory for Indian Nationals in Afghanistan@MEAIndia pic.twitter.com/yB13DRpkgT
— India in Afghanistan (@IndianEmbKabul) August 10, 2021
તેમાં વધુમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં ભારે હિંસાને જોતા ઘણા પ્રાંતો અને શહેરોમાં વ્યાપારી ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં મુલાકાત લેતા, કામ કરતા અને રહેનારા તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ જ્યાં છે ત્યાંથી ઉપડતી કોમર્શિયલ ફ્લાઇટ વિષે તમામ અપડેટ રાખે એ ફલિત બંધ થાય એ પહેલા વતન પરત પોહચી જાય.
એડવાઈઝરીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં કાર્યરત કંપનીઓને હવાઈ સેવાઓ બંધ થાય તે પહેલા તેમના ભારતીય કર્મચારીઓને અફઘાનિસ્તાનમાં પ્રોજેક્ટ સાઇટ્સમાંથી બહાર કાઢવાની સલાહ આપવામાં આવે છે. સાથોસાથ, અફઘાનિસ્તાનમાં અથવા વિદેશી કંપનીઓમાં કામ કરતા ભારતીય નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના નોકરીદાતાઓને ભારત જવાની વ્યવસ્થા કરવા વિનંતી કરે.
દૂતાવાસે કહ્યું, “અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં હિંસા વધી છે, ઘણા પ્રાંતો અને શહેરોમાં વાણિજ્યિક હવાઈ મુસાફરી સેવાઓ બંધ થઈ રહી છે.” સરકારી આંકડા અનુસાર, અત્યારે અફઘાનિસ્તાનમાં આશરે 1,500 ભારતીયો રહે છે. દૂતાવાસે કહ્યું કે આ સલાહ ભારતીય પત્રકારોને પણ લાગુ પડે છે જે તાજેતરની ઘટનાઓને આવરી લેવા અફઘાનિસ્તાન ગયા છે.
પાકિસ્તાન / પંજાબ પ્રાંતનું મંદિર સમારકામ પછી હિન્દુઓને સોંપવામાં આવ્યું, ટોળાએ હુમલો કરી તોડફોડ કરી હતી
રાજકોટ / GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા
બેફામ મોંઘવારી ! / શ્રાવણ માસમાં ઉપવાસ બન્યા મોંઘા, બટાટાના ભાવમાં વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
