World Rose Day 2021/ કેમ ઉજવવામાં આવી રહ્યો છે આજે રોઝ ડે, ​​જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

કેન્સરના દર્દીઓ માટે દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ રોઝ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે કેન્સરગ્રસ્ત લોકોને ગુલાબના ફૂલ આપવાથી તેમના જીવનમાં ખુશી અને આશાનું નિર્માણ થાય છે

Top Stories World

આજે સમગ્ર વિશ્વમાં રોઝ ડે ઉજવવામાં આવી રહ્યો છે. કેન્સરથી પીડિત લોકોના જીવનમાં ખુશીઓ લાવવા અને જીવનનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ રોઝ ડે ઉજવવામાં આવે છે. શારીરિક અસરો ઉપરાંત, કેન્સર તણાવ, માનસિક અસરોના કારણે ઘણીબધી વેદનાઓ સાથે જીવન પસાર કરવુ પડે છે. કેન્સરથી બચી ગયેલા લોકોને મુશ્કેલ સમયમાંથી પસાર થવા માટે બહાદુરી અને સકારાત્મકતાની જરૂર હોય છે, તેમને ટેકો આપવા અને તેમનામાં આશાવાદી જીવન આપવાના હેતુથી રોઝ ડે ઉજવવામાં આવે છે. કેન્સરના દર્દીઓના સંઘર્ષને સલામ અને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં રોઝ ડે ઉજવવામાં આવે છે.

કેમ ઉજવવામાં આવે છે વિશ્વમાં રોઝ ડે

12 વર્ષની કેનેડિયન છોકરી મેલિન્ડા રોઝની યાદમાં વર્લ્ડ રોઝ ડે ઉજવવામાં આવે છે. મેલિન્ડાને અસ્કિન્સ ટ્યુમર, બ્લડ કેન્સરનો અસામાન્ય પ્રકાર હોવાનું નિદાન થયું હતું. મેલિન્ડાએ હિંમતથી આ રોગ સામે લડ્યા. ડોક્ટરોએ મેલિન્ડાની બીમારીનું નિદાન કર્યું અને કહ્યું કે તે માત્ર બે સપ્તાહ જીવશે, પરંતુ તેના સકારાત્મક વિચારો અને સંઘર્ષને કારણે મેલિન્ડા છ મહિના સુધી જીવિત રહી. આ સમય દરમિયાન તેમણે ઘણી કવિતાઓ અને પત્રો લખ્યા.

મહત્વનો છે આ દિવસ

વિશ્વ રોઝ દિવસ કેન્સરના દર્દીઓને સમર્પિત છે જે આ જીવલેણ રોગ સામે બહાદુરીથી લડ્યા. વિશ્વ ગુલાબ દિવસની ઉજવણી તેમના જીવનમાં ખુશીઓ લાવવાનું પ્રતીક છે. વર્લ્ડ રોઝ ડે પર લોકો કેન્સરના દર્દીઓને ગુલાબ આપવામાં આવે છે. કેન્સર વિશે જાગૃતિ ફેલાવવામાં અને તેમાંથી મોટા ભાગના ઉપચારમાં કેવી રીતે મદદ કરે છે તે દિવસ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

વર્લ્ડ રોઝ ડે પર આ રીતે વહેંચી શકાય છે ખુશીઓ

આ દિવસે, તમે હાથથી બનાવેલા ગુલાબ અથવા કુદરતી ફૂલો આપીને કેન્સરના દર્દીઓના ચહેરા પર સ્મિત લાવી શકો છો. જો તમે ઈચ્છો તો તમે  ભેટ પણ આપી શકો છો. જે તેમના માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, આ સિવાય  કાર્ડ્સ પણ આપી શકાય,  તમે તેમની સાથે થોડો સમય પસાર કરી શકો છો અને તેની સાથે કેટલીક સારી યોજનાઓ પણ બનાવી શકો છો, કેન્સર સામે લડવા માટે તેમને પ્રોત્સાહન અને હિંમત આપો, તમે તમારા મિત્રો અને પરિચિતોને પ્રેરણા આપી શકો છો,  સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચલાવીને કેન્સર પીડિતોની મદદ પણ કરી શકો છો.