અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અમેરિકન પ્રવક્તાએ આ માહિતી આપી છે. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ક્લિન્ટનને “નોન-કોવિડ સંક્રમણ” ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ક્લિન્ટનનાં પ્રવક્તા એન્જલ યૂરેનાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને યુસીઆઈ મેડિકલ સેન્ટરમાં નોન-કોવિડ સંક્રમણની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – ભાવ વધારો / દશેરાનાં દિવસે પેટ્રોલ-ડીઝલનાં ભાવે લગાવી છલાંગ, જાણો તમારા શહેરમાં શું છે નવા રેટ
અમેરિકી રાષ્ટ્રપતિનાં પૂર્વ પ્રવક્તા એન્જલ યૂરેનાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, “મંગળવારે સાંજે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને યુસીઆઈ મેડિકલ સેન્ટરમાં નોન-કોવિડ સંક્રમણની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.” યૂરેનાએ કહ્યું, “તેઓ સારી સ્થિતિમાં છે અને તેમણે ઉત્તમ સંભાળ માટે હોસ્પિટલ મેનેજમેન્ટ, ડોકટરો અને નર્સનો ઉત્સાહપૂર્વક આભાર માન્યો છે.” કેલિફોર્નિયાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઇર્વિન મેડિકલ સેન્ટરમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની સારવાર કરતા ડોકટરોએ સીએનએન ને જણાવ્યું કે, ક્લિન્ટન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં છે, જોકે તે શ્વાસ લેવાની મશીન પર નથી. જો કે, સીએનએને કહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ કોરોના વાયરસથી સંક્રમિત નથી અને ન તો તેમને હૃદય સંબંધિત બીમારી છે.
"Former US President Bill Clinton has been admitted to a hospital in Irvine California," reports Reuters
(file photo) pic.twitter.com/rCrLKdrcKz
— ANI (@ANI) October 15, 2021
આ પણ વાંચો – National / કોલસાની કટોકટી ઉદ્યોગોને અસર કરવા લાગી, કોલ ઇન્ડિયાએ આ કંપનીઓનો પુરવઠો બંધ કરી દીધો
હોસ્પિટલનાં ડોક્ટરોએ કહ્યું છે કે, બિલ ક્લિન્ટનને માઇનોર ઇન્ફેક્શન હતું અને પેશાબની નળીઓનો વિસ્તાર સંક્રમણને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. પરંતુ આ ખૂબ જ મામૂલી છે અને તેઓ ટૂંક સમયમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. ડોક્ટરોએ કહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિને એન્ટી બાયોટિક્સ આપવામાં આવ્યા છે અને તેઓ ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.
