Not Set/ ભારતના ફ્રેન્ચ દૂતાવાસે મોડર્નાની રસી ખરીદી, અને પોતાના નાગરિકોને આપી પણ ખરી, આ કેવી રીતે શક્ય બન્યું?

મહારાષ્ટ્ર સરકારના મંત્રી એનસીપી નેતા નવાબ મલિકે આજે દાવો કર્યો છે કે ભારતમાં ફ્રેન્ચ દૂતાવાસે મોડિનાની કોવિડ -19 વિરોધી રસીઓ ખરીદી છે અને નવી મુંબઈમાં તેના નાગરિકોને લાગુ કરી છે, જ્યારે દેશમાં ફક્ત ત્રણ રસીઓને મંજૂરી આપવામાં આવી છે.

Top Stories India

મહારાષ્ટ્ર સરકારના મંત્રી એનસીપી નેતા નવાબ મલિકે આજે દાવો કર્યો છે કે ભારતમાં ફ્રેન્ચ દૂતાવાસે મોડિનાની કોવિડ -19 વિરોધી રસીઓ ખરીદી છે અને નવી મુંબઈમાં તેના નાગરિકોને લાગુ કરી છે, જ્યારે દેશમાં ફક્ત ત્રણ રસીઓને મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યના લઘુમતી બાબતોના પ્રધાનઅને  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના રાષ્ટ્રીય પ્રવક્તા મલિકે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે,  અનુમતિ વિના અહીં રહેતા ફ્રેન્ચ નાગરિકો અને તેમના પરિવારજનોને મોર્ડના ની રસી કેવી રીતે આપવામાં આવી છે. ?  પૂછ્યું હતું કે જો ફ્રેન્ચ દૂતાવાસો ખરીદી શકે છે, તો કેન્દ્ર ભારતના લોકો માટે આ રસી કેમ નથી ખરીદી શકતું.

તેમણે ટ્વિટ કર્યું, ‘કોવિશિલ્ડ, કોવાક્સિન અને સ્પુટનિક-વી એ ત્રણ રસી છે જેને  આપણી સરકારે ભારતમાં મંજૂરી આપી છે. મને પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્રેન્ચ દૂતાવાસે મોડર્નાની રસી ખરીદી અને તેમના નાગરિકો અને તેમના પરિવારને નવી મુંબઈની એપોલો હોસ્પિટલની સહાયથી આ રસી આપવામાં આવી છે.

તેમણે કહ્યું, “સવાલ એ છે કે મંજૂરી વિનાની રસીને આપવાની મંજુરી કેવી રીતે મળી ?  જો તેઓ આ રસી મેળવી શકે છે તો પછી ભારત સરકાર પણ આપણા નાગરિકો માટે આ રસી કેમ નથી મેળવી શકી.  સરકાર અને આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. “

મલીકના દાવાના જવાબમાં ભાજપના નેતા પ્રવીણ દારેકરે કહ્યું કે, તેમના આરોપ અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. મારી માહિતી મુજબ, દરેક દૂતાવાસે અહીં કાર્યરત તેના કર્મચારીઓ માટે કોવિડ -19 રસી ની વ્યવસ્થા કરી છે.  જો કે, મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં પોતાના લોકોની સંભાળ લેતી નથી અને બિનજરૂરી મુદ્દા પર આંગળી ચીંધીને સમય બગાડે છે. “વિધાન પરિષદના વિપક્ષી નેતાએ કહ્યું,” આ પ્રજા પ્રત્યેની સરકારની સંવેદનશીલતા દર્શાવે છે.