પીએમ નરેન્દ્ર મોદી આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 82 મી આવૃત્તિ પર રાષ્ટ્રને સંબોધિત કરશે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ અને મોબાઈલ એપના નેટવર્ક પર તેમજ સત્તાવાર યુટ્યુબ ચેનલ અને ટ્વિટર પર પ્રસારિત કરવામાં આવશે. મન કી બાત એ પીએમ મોદીનું માસિક રેડિયો સંબોધન છે, જે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે, પરંતુ આ વખતે કાર્યક્રમ મહિનાના છેલ્લેથી બીજા રવિવારે પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે 100 કરોડ રસીકરણ અભિયાને ઈતિહાસ રચ્યો. તેમણે કહ્યું કે દેશ નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચો :પૂંછમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેદ, બે પોલીસકર્મીઓ અને સેનાનો એક જવાન ઘાયલ
LIVE
PM મોદી મન કી બાત બાબતે જુદા જુદા પ્લેટફોર્મ્સ દ્વારા સામાન્ય લોકોની સલાહ અને સૂચનો માંગે છે, જેનો કાર્યક્રમ દરમિયાન ઉલ્લેખ પણ કરે છે. તમે નેરેન્દ્ર મોદીની વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કર્યા બાદ સૂચન મોકલી શકો છો. mygov.in મુજબ, તમે 1922 પર મિસ્ડ લોક પણ કરી શકો છો અને SMSમાં પ્રાપ્ત લિન્ક દ્વારા પણ PM સુધી પોતાના સૂચન પહોંચાડી શકો છો. ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર કોલ કરીને પણ સૂચન રેકોર્ડ કરવી શકાય છે.
પ્રધાનમંત્રી મોદીએ છેલ્લે મન કી બાતમાં નદીઓનું મહત્વ, સ્વચ્છતા અને વોકલ ફોર લોકલ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આઝાદીની લડાઈમાં ખાદીનું જે ગૌરવ હતું, તે ગૌરવ આજે પણ યુવા પેઢી ખાડીને આપી રહી છે. દિલ્હીના એક ખડી શો રૂમમાં એક કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો, આવું ઘણા દિવસ થયું. તેમણે એવું પણ કહ્યું હતું કે મારી ભેટોની હરાજીથી મળનારા રૂપિયા નમામિ ગંગે મિશનને આપવામાં આવશે.
પીએમ મોદીએ 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી કરી હતી. મન કી બાતના દરેક શ્રોતા વતી અને મારા વતી હું લોખંડી પુરુષને વંદન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે આપણે સરદાર પટેલના વિચારોથી ઘણું શીખી શકીએ છીએ. સરદાર પટેલનું જીવન પ્રેરણા આપે છે.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી લડવૈયાઓએ ઘણું આપ્યું છે. બિરસા મુંડાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ તેમને પ્રણામ કર્યા અને લોકોને ખાસ કરીને યુવાનોને બિરસા મુંડા વિશે વધુને વધુ વાંચવા અને જાણવાની અપીલ કરી.
મન કી બાતમાં પીએમ મોદીએ કોરોના સહિત ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમણે દેશમાં કોરોના રસીકરણની રેકોર્ડ ગતિ અને 100 કરોડ રસીઓનો ઉલ્લેખ કર્યો. આ સાથે લોકોને દીપાવલી સહિત અન્ય તહેવારો દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી હતી જેથી કરીને કોરોનાને ફેલાતો અટકાવી શકાય. પીએમ મોદીએ કહ્યું કે કોવિડ-19 વિરોધી રસીના 100 કરોડ ડોઝ આપવાની સિદ્ધિ બાદ દેશ નવી ઉર્જા અને ઉત્સાહ સાથે આગળ વધી રહ્યો છે. અમારા રસીકરણ અભિયાનની સફળતા ભારતની ક્ષમતાઓ, ‘સબકા પ્રયાસ’ મંત્રની શક્તિ દર્શાવે છે.
Today, after 100 crore COVID19 vaccinations, the country is moving ahead with new energy. The success of our vaccination program shows the capability of India to the world: PM Modi during 'Mann Ki Baat' pic.twitter.com/0VGAVN2Upe
— ANI (@ANI) October 24, 2021
આ પણ વાંચો : ઇન્ડોનેશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીએ ઇસ્લામ ધર્મ છોડી હિન્દુ ધર્મ અપનાવવાનો કર્યો નિર્ણય
પીએમ મોદીએ કહ્યું કે ઉત્તરાખંડના બાગેશ્વરમાં એક ગામમાં 100% રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. અહીં એએનએમ પૂનમ નૌટિયાલે તેના વિસ્તારના લોકોના રસીકરણ માટે રાત -દિવસ મહેનત કરી હતી. પીએમ મોદીને તેમણે કહ્યું કે વરસાદ અને હિમવર્ષા છતાં તે ઘરે ઘરે ગઈ. દૂર દૂર સુધી ઘરે-ઘરે જઈને લોકોની સંકોચ દૂર કરવાનું કામ પણ કર્યું. પૂનમે કહ્યું કે અમે ગામના દરેક લાયક વ્યક્તિની યાદી બનાવી છે અને જેઓ રસીકરણ માટે નથી આવ્યા, તેમણે પરિવાર સાથે ઘરે જઈને રસીકરણ કરાવ્યું.
અગાઉ 26 સપ્ટેમ્બરે મન કી બાતના 81મા એપિસોડમાં પીએમ મોદીએ ભારતીય સંસ્કૃતિમાં વરસાદી પાણીના સંગ્રહના મહત્વ પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ જલ-જીલાની એકાદશી અને છઠના પરંપરાગત તહેવારોની સરખામણી રાષ્ટ્રીય જળ મિશન (એનડબલ્યુએમ) અભિયાન કેચ ધ રેઈન સાથે કરી.
આ પણ વાંચો :ભારત-પાકિસ્તાની આજની મેચમાં ટોસ નિર્ણાયક સાબિત થશે, રન ચેસ કરવા સરળ બનશે
