માયાવતીએ કહ્યું કે સપા સત્તામાં હોય ત્યારે ભાજપ મજબૂત હોય છે જ્યારે બસપા સત્તામાં હોય ત્યારે ભાજપ નબળી હોય છે. ભાજપ અને સપા મળીને રાજ્યનું વાતાવરણ બગાડવાની કોશિશ કરી રહ્યા છે. બસપા સુપ્રીમો માયાવતીએ યુપી ચૂંટણી પહેલા સપા અને ભાજપ પર મળીને રાજ્યનું વાતાવરણ બગાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ-સપા બંને એકબીજાના પૂરક અને પોષક છે અને હવે તેમની જાતિવાદી અને સાંપ્રદાયિક ટિપ્પણીઓથી રાજ્યનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે ટ્વીટ કર્યું હતું કે ગઈ કાલે હરદોઈમાં સપાના વડા દ્વારા જિન્નાહ વિશે આપેલું નિવેદન અને તેને લઇ ભાજપની પ્રતિક્રિયા આ બંને પક્ષોની આંતરિક મિલીભગત અને તેમની સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનો એક ભાગ છે જેથી કરીને યુપી વિધાનસભાની ચૂંટણીમાં વાતાવરણ ડહોળાઈ શકે.
તેમણે કહ્યું કે સપા અને ભાજપની રાજનીતિ એકબીજાના પોષક અને પૂરક તરીકે રહ્યા છે. આ બંને પક્ષોની વિચારસરણી જાતિવાદી અને કોમવાદી હોવાથી તેમનું અસ્તિત્વ એકબીજા પર આધારિત રહ્યું છે. તેથી જ જ્યારે સપા સત્તામાં હોય છે ત્યારે ભાજપ મજબૂત હોય છે જ્યારે બસપા સત્તામાં હોય છે ત્યારે ભાજપ નબળો હોય છે.
રવિવારે હરદોઈમાં એક સભાને સંબોધતા અખિલેશ યાદવે કહ્યું કે સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી અને ઝીણાએ સાથે મળીને આઝાદીની લડાઈ લડી અને દેશને આઝાદી અપાવી. ત્યારથી તેઓ ભાજપના નેતાઓના નિશાના પર આવી ગયા છે. હવે માયાવતીએ તેમના પર આરોપ લગાવ્યા છે.
રાજકીય / રઘુ શર્માના નિવેદન પર રાજકારણ ગરમાયું, CR પાટીલે કહ્યું, …
સાવધાન! / સાયબર ફ્રોડ પણ તહેવારો ઉજવી રહ્યા છે, લોટરી અને ગિફ્ટની લિંક મોકલીને તમારા બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે…
Technology / તમે QR કોડ વિશે ભાગ્યે જ આ બાબતો જાણતા હશો, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે
Technology / ઓનલાઈન ઓર્ડરની ડીલીવરી માટે હવે નહિ જોઈએ એડ્રેસ, પોસ્ટલ વિભાગ લાવ્યું છે એક નવો પ્રોજેક્ટ
Technology / WhatsAppની દિવાળી ઓફર, કંપની આપી રહી છે 255 રૂપિયાનું કેશબેક ઓફર
