નિધન/ પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા ઇતિહાસકાર-લેખક બાબાસાહેબ પુરંદરેનું 99 વર્ષની વયે અવસાન

ભારતના જાણીતા ઈતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનું સોમવારે સવારે પુણેની દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલમાં નિધન થયું હતું

Top Stories India

ભારતના જાણીતા ઈતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનું સોમવારે સવારે પુણેની દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 99 વર્ષના હતા. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, પુરંદરેને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં  તેમની હાલત નાજુક થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારથી તેમની તબિયતમાં સુધારો થઈ શક્યો ન હતો

પ્રાપ્ત માહિતી અનુસાર બાબા પુરંદરે તેમના ઘરના બાથરૂમમાં પડી ગયા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના નિધનના સમાચાર બાદ દેશભરમાં તેમના ચાહકોએ શોક વ્યક્ત કર્યો હતો.

કોણ હતા બાબા પુરંદરે?
બાબાસાહેબ પુરંદરે લોકપ્રિય ઇતિહાસકાર-લેખક હોવા ઉપરાંત થિયેટર આર્ટિસ્ટ પણ હતા. તેઓ છત્રપતિ શિવાજી મહારાજ પર તેમની કુશળતા માટે જાણીતા છે. બાબા પુરંદરેએ શિવાજીના જીવનથી લઈને તેમના વહીવટ અને તેમના સમયગાળાના કિલ્લાઓ પર ઘણા પુસ્તકો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે છત્રપતિ- જટા રાજાના જીવન અને નેતૃત્વ શૈલી પર એક લોકપ્રિય નાટકનું નિર્દેશન પણ કર્યું.