ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે. આ મામલે ઓવૈસી બુધવારે હૈદરાબાદ પોલીસ કમિશનરને પણ મળ્યા હતા. રિઝવી પર તેમના પુસ્તકમાં પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક વાતો લખવાનો આરોપ છે. આ અંગે ઓવૈસીએ નારાજગી વ્યક્ત કરી હતી.પોલીસ કમિશનરને મળ્યા બાદ ઓવૈસીએ કહ્યું કે તેમને આશ્વાસન મળ્યું છે કે રિઝવી સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે. અમને આશા છે કે તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
શિયા વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ પયગંબર મોહમ્મદના જીવન પર પુસ્તક લખીને નવો વિવાદ સર્જ્યો છે. વસીમ રિઝવીએ ગાઝિયાબાદના ડાસનામાં મહાકાલી મંદિરની મુલાકાત લીધા બાદ મહંત યતિ નરસિમ્હાનંદ સરસ્વતીના તેમના વિવાદાસ્પદ પુસ્તક ‘મોહમ્મદ’નું વિમોચન કર્યું હતું. તેમનો દાવો છે કે ‘ઈસ્લામ દુનિયામાં શા માટે આવ્યો અને તેમાં આટલા બધા આતંકવાદી વિચારો શા માટે છે?’ આ પુસ્તક તેને ઉજાગર કરે છે. આ સિવાય તેમનો દાવો છે કે આ પુસ્તક મોહમ્મદ પયગંબરના ચરિત્રને પણ ઉજાગર કરે છે.
વસીમ રિઝવી કુરાનની આયતો હટાવવાની અરજીને લઈને પણ વિવાદમાં આવ્યા હતા. તેણે કુરાનની 26 કલમો હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે કુરાનની 26 કલમો આતંકવાદને પ્રોત્સાહન આપે છે. આ મામલો લાંબા સમયથી ચર્ચામાં હતો. જોકે સુપ્રીમ કોર્ટે આ કેસને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે રિઝવી પર 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ સિવાય ઘણી વખત રિઝવી પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી ચર્ચામાં રહ્યા છે.