લગ્ન કરવા જઈ રહેલી મહિલાને “અશ્લીલ મેસેજ” મોકલવાને લઈ એક સેશન્સ કોર્ટે એક મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારના “અશ્લીલ મેસેજ” મોકલવાને લઈ તેણીની નમ્રતાનું અપમાન ન ગણી શકાય. આ મામલે એક સેશન્સ કોર્ટે હાલ 36 વર્ષીય પુરુષને છેતરપિંડી અને બળાત્કાર કરવાના આરોપમાં 11 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યો છે.
આ મામલે કોર્ટે જણાવ્યું હતું કે, લગ્ન પહેલાના સમયગાળામાં આવા સંદેશાઓ મોકલવાથી આનંદ થાય છે અને એવો અનુભવ થાય છે કે કોઈ વ્યક્તિની લાગણીઓને સમજવા માટે ઘણો નજીક છે.
આ પણ વાંચો :કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત બાદ પ્રિયંકા ગાંધીએ PM મોદી પાસે કરી આ માંગ
આ ઉપરાંત કોર્ટે ઉમેર્યું કે, “જો સામા પક્ષને આ બધું ન ગમતું હોય તો સામે પક્ષે પોતાની નારાજગી વ્યક્ત કરવાની વિવેકબુદ્ધિ હોય છે અને બીજી પક્ષ સામાન્ય રીતે આવી ભૂલનું પુનરાવર્તન ટાળે છે. તેનો ઉદ્દેશ તેની સામે તેની અપેક્ષા રાખવાનો હતો, તેણીને સેક્સની સમાન લાગણીથી ઉત્તેજીત કરવાનો હતો, જે તેણીને આનંદ પણ આપી શકે વગેરે. પરંતુ કોઈપણ રીતે તે એસએમએસ તેમની નમ્રતાનું અપમાન કરવા માટે મોકલવામાં આવ્યા હોવાનું કહી શકાય નહીં,” કોર્ટે કહ્યું.
કોર્ટે કહ્યું કે, “કોઈપણ રીતે તે એસએમએસ તેણીની નમ્રતાનું અપમાન કરવા માટે મોકલવામાં આવ્યા હતા તેવું કહી શકાય નહીં.
આપને જણાવી દઈએ કે, આ મામલામાં મહિલાએ 2010માં એફઆઈઆર નોંધાવી હતી. આ પહલા કપલ 2007માં મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યા હતા અને વિરોધ છતાં લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીની માતા લગ્નની વિરુદ્ધ હતી અને તેણે પ્રસ્તાવિત લગ્ન પછી તેને કોઈપણ ઘરમાં રહેવા દેવાની ના પાડી હતી, જેથી 2010 માં, વ્યક્તિએ સંબંધ તોડી નાખ્યો.
આ પણ વાંચો :કમલા હેરિસને 85 મિનિટ માટે રાષ્ટ્રપતિની મળી સત્તા, જાણો શું છે કારણ
આ મામલે બળાત્કારના આરોપમાંથી પુરૂષને નિર્દોષ જાહેર કરતા કોર્ટે કહ્યું કે, લગ્ન કરવાના દરેક વચનના ભંગને છેતરપિંડી કે બળાત્કાર કહી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, આરોપી બે વર્ષથી વધુ સમયથી સંબંધમાં હતો, તેણે શરૂઆતમાં ભાડે મકાન લીધું હતું અને બાદમાં તેના પરિવારના ફ્લેટનું નવીનીકરણ કર્યું હતું.
આ પણ વાંચો : વટામણ-ભાવનગર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના કરૂણ મોત
આ પણ વાંચો : ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માટે RSSના પ્રમુખે શું કહ્યું…
