શુભેચ્છા/ PM મોદીએ રમઝાન માસની આપી શુભેચ્છા,પવિત્ર મહિનામાં ગરીબોની સેવા કરવા માટે લોકોને પ્રેરણા આપે

મુસ્લિમોનો  પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. રવિવારે એટલે કે આજે પહેલો ઉપવાસ (રોજા) છે.શનિવારે એક દિવસ પહેલા ચંદ્ર દેખાયો હતો.

Top Stories India

મુસ્લિમોનો  પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. રવિવારે એટલે કે આજે પહેલો ઉપવાસ (રોજા) છે.શનિવારે એક દિવસ પહેલા ચંદ્ર દેખાયો હતો. રમઝાન દેખાયા બાદ લોકો એકબીજાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ લોકોને પવિત્ર રમઝાન માસની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ઈચ્છા વ્યક્ત કરી છે કે સમાજના લોકોને શાંતિ, સૌહાર્દ અને કરુણાની ભાવના વિકસાવવાની શક્તિ મળે. 2 એપ્રિલે ચાંદના દર્શન થયા બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ 3 એપ્રિલથી રોજા શરૂ કરી દીધા છે. શુભકામનાઓ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પવિત્ર મહિનામાં લોકોને ગરીબોની સેવા કરવા માટે પ્રેરણા આપવાની શક્તિ મળવી જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત પર ખૂબ ખૂબ અભિનંદન. રમઝાનનો આ મહિનો લોકોને ગરીબોની સેવા કરવાની પ્રેરણા આપે. તેમજ, આ પવિત્ર માસ આપણા સમાજમાં શાંતિ, સંવાદિતા અને કરુણાની ભાવના કેળવે.

રમઝાન વિશ્વભરમાં મુસ્લિમો દ્વારા ઉપવાસ, પ્રાર્થના અને પ્રતિબિંબના મહિના તરીકે ઉજવવામાં આવે છે. દેશમાં 2 એપ્રિલે ચાંદના દર્શન થયા બાદ હવે મુસ્લિમ સમુદાયના લોકો 3 એપ્રિલ રવિવારથી રોજા રાખી રહ્યા છે. રમઝાન વિશે, એવું માનવામાં આવે છે કે રમઝાનના પવિત્ર મહિનામાં, પયગંબર મુહમ્મદને અલ્લાહ તરફથી કુરાનની પ્રથમ આયતો મળી હતી. આ પવિત્ર દિવસોમાં ઉપવાસ રાખવામાં આવે છે. આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રહીને ભગવાનની પૂજા કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આવે છે. 3 એપ્રિલથી શરૂ થનાર રમઝાન 1 મેના રોજ ઈદ સાથે સમાપ્ત થશે. પરંતુ તેની તારીખ ચંદ્રના દર્શન પછી જ નક્કી થાય છે.

ઇસ્લામિક માન્યતાઓ અનુસાર, રમઝાન મહિનામાં, સૂરજ ઉગતા પહેલા ભોજન લેવામાં આવે છે. તે સહરી તરીકે ઓળખાય છે. સેહરીનો સમય અગાઉથી નક્કી કરવામાં આવે છે. આ પછી દિવસભર ભૂખ્યા-તરસ્યા રહીને અલ્લાહની ઇબાદત કરવામાં આવે છે. સાંજે નિર્ધારીત સમયે રોજો ખોલવામાં આવે છે તેેને ઇફતાર કહેવામાં આવે છે.