VPN services/ ટૂંક સમયમાં VPN થઈ જશે બંધ? કંપનીના માલિકે કહ્યું કે બદલાવ નહીં થાય તો ભારતમાંથી સર્વર બંધ કરીશું

VPN એ કહ્યું છે કે જો સરકાર નવી નીતિમાં ફેરફાર નહીં કરે તો અમારે ભારતમાંથી અમારું સર્વર બંધ કરવું પડશે. લૌરા ટાયરલાઈટ કહે છે કે તે પોતાના ગ્રાહકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખે છે.

Trending Tech & Auto
VPN થઈ જશે બંધ

VPN થઈ જશે બંધ: વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN) સાથેની સુરક્ષાને લઈને ભારત સરકારે તેના એક નિર્ણયમાં કહ્યું છે કે VPN કંપનીઓએ યુઝર્સના ડેટાને પાંચ વર્ષ સુધી રાખવાનો રહેશે અને જો જરૂર પડશે તો તે અધિકારીઓને આપવો પડશે. હવે કેટલીક મોટી VPN કંપનીઓએ સરકારના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. NordVPN જેવી ઘણી મોટી કંપનીઓએ કહ્યું છે કે જો સરકાર તેના નિર્ણયો નહીં બદલે અથવા અન્ય કોઈ વિકલ્પ પ્રદાન નહીં કરે તો તેઓને ભારતીય બજારમાંથી તેમનો વ્યવસાય પાછો ખેંચી લેવાની ફરજ પડશે.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની એજન્સી CERTએ ગયા અઠવાડિયે એક આદેશમાં જણાવ્યું હતું કે VPN સર્વિસ પ્રોવાઈડર્સે તેમના યુઝર્સના નામ, ઈમેલ આઈડી અને આઈપી એડ્રેસ સહિતનો ડેટા પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે સ્ટોર કરવાનો રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો VPN કંપનીનું રજિસ્ટ્રેશન કોઈ કારણસર કેન્સલ થાય છે તો તેના પછી પણ ડેટા માંગી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો VPN કંપની બંધ અથવા પ્રતિબંધિત થયા પછી પણ, તેણે સરકારને ડેટા આપવો પડશે. VPN સંબંધિત નવો કાયદો 28 જૂન 2022થી અમલમાં આવી રહ્યો છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ સેવા પ્રદાતાઓએ તેમની સિસ્ટમમાં ફરજિયાત લોગીન કરવાની સુવિધા આપવી જોઈએ.

સાયબર સિક્યોરિટીના વધતા જતા ખતરાને કારણે સરકારે VPN માટે નવો કાયદો બનાવ્યો છે જેથી સાયબર ગુનેગારોને સમયસર ટ્રેક કરી શકાય. સરકારી એજન્સીએ કહ્યું કે જો VPN સેવા પ્રદાતા સરકારને ડેટા પ્રદાન કરતું નથી અથવા સૂચનાઓનું પાલન કરતું નથી તો IT એક્ટ 2000 અને અન્ય કાયદાની કલમ 70Bની પેટા-કલમ (7) હેઠળ દંડની કાર્યવાહી કરી શકાય છે. જો સરકાર તેની નીતિમાં ફેરફાર નહીં કરે તો VPN નો ઉપયોગ કરનારાઓ પણ મુશ્કેલીમાં મુકાઈ જશે, કારણ કે કોઈ પણ સંજોગોમાં તેમના બચવાની કોઈ શક્યતા રહેશે નહીં.

Surfshark VPN એ કહ્યું છે કે તે તેના વપરાશકર્તાઓની ગોપનીયતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તે બ્રાઉઝિંગ હિસ્ટ્રી અથવા વપરાશકર્તાઓની લૉગિન વિગતો સંગ્રહિત કરતું નથી. કંપનીના જણાવ્યા અનુસાર રેમ એવા સર્વર દ્વારા જ કામ કરે છે જે યુઝરના ડેટાને ઓટોમેટીક ઓવરરાઈટ કરે છે. લૌરા ટાયરલાઈટ કહે છે કે તે પોતાના ગ્રાહકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખે છે. જો સરકાર નવી નીતિમાં ફેરફાર નહીં કરે તો અમારે ભારતમાંથી અમારું સર્વર ખતમ કરવું પડશે. VPN કંપનીઓ માટે ભારત સૌથી મોટું બજાર છે.

વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) એ એક નેટવર્ક છે જે તમારા ડેટાને એન્ક્રિપ્ટ કરે છે અને તમારું IP એડ્રેસ પણ છુપાવે છે. આવી સ્થિતિમાં તમારી ઇન્ટરનેટ ઓળખ દુનિયાથી છુપાયેલી રહે છે. VPN નો સૌથી મોટો ફાયદો એ હશે કે તમને ટ્રેક કરવામાં આવતો નથી. તમે શું સર્ચ કરી રહ્યા છો, કોમ્પ્યુટર કે મોબાઈલ પર તમે શું કરી રહ્યા છો તેની કોઈ માહિતી કોઈ પાસે હોતી નથી, જ્યારે જ્યારે પણ તમે ઓપન નેટવર્કમાં કોઈ સર્ચ કરો છો ત્યારે તમામ પ્રકારની સાઈટ તમારી માહિતી કુકીઝ દ્વારા લઈ જાય છે અને તેનો ઉપયોગ જાહેરાતમાં કરે છે. આજકાલ VPN નો ઉપયોગ છેતરપિંડી અને અપરાધ માટે પણ થઈ રહ્યો છે, જેને લઈને સરકાર ચિંતિત છે.

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી / સરદાર વલ્લ્ભભાઈ પટેલનું વ્યક્તિત્વ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં પણ ઊંચું છે’