- મનપા કમિશનરનું મોટું નિવેદન
- ટેસ્ટની સંખ્યામાં કરાયો વધારો
- પહેલા કરાતા હતા દૈનિક 900 ટેસ્ટ
- લોકોને માસ્ક પહેરવા કરી અપીલ
રાજકોટમાં કોરોના ટેસ્ટીંગને લઈને મનપા કમિશ્નરનું મોટું નિવેદન સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી આવતા કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૈનિક 900 ટેસ્ટ કરવામાં આવતા હતા. જયારે આગામી બે દિવસોમાં 1500 ટેસ્ટ સુધીની સંખ્યા પર પહોંચાડવામાં આવશે. છેલ્લા એક સપ્તાહમાં 15 જેટલા કેસ નોંધાયા હતા. પ્રિકોશનરી ડોઝ લીધેલા વ્યક્તિઓના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે. જેને કારણે તંત્રમાં ચિંતાના વાદળો છવાયા છે. તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે. જો વધુ પોઝિટિવ કેસ જણાશે તો ભીડ ભાડ વાળી જગ્યાએ ટેસ્ટીંગ બુથ શરૂ કરાશે.
આ પણ વાંચો:નુપુર શર્માની જીભ કાપનારને 1 કરોડનું ઈનામ, ભીમ આર્મીની જાહેરાત
આ પણ વાંચો:ભાજપ સરકારનો વિકાસનો વાઘ બેરોજગારીનો બિલાડો સાબીત થયો : આપ
આ પણ વાંચો:એસ્ટોલ પ્રોજેક્ટ થયો પૂર્ણ, 4.50 લાખ લોકોને લાભ : જાણો પ્રોજેક્ટની વિશેષતા અને બેનિફીટ
