નેશનલ હેરાલ્ડ કેસ (national herald case) માં રાહુલ ગાંધી આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે અને તેઓ રાહુલ ગાંધીના સમર્થનમાં ED ઓફિસ જશે.આ દરમિયાન સમાચાર મળ્યા છે કે રાહુલ ગાંધીના ઘરની બહાર તેમના સમર્થનમાં ઘણા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે ડિયર મોદી અને શાહ, એ રાહુલ ગાંધી હૈ, ઝૂકેગા નહીં.
પોસ્ટરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે મેં સાવરકર નહીં હૂં, મેં રાહુલ ગાંધી હૂં. આ ઉપરાંત પોસ્ટરમાં સત્ય સામે ન ઝૂકવાની વાત પણ લખવામાં આવી છે.
#WATCH | Congress workers stage protest holding placards in support of party leader Rahul Gandhi ahead of his appearance before ED today in the National Herald case.
Visuals from outside AICC headquarters, Delhi pic.twitter.com/1ihNUIr3Qn
— ANI (@ANI) June 13, 2022
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી આજે ED સમક્ષ હાજર થવાના છે તે પહેલા કોંગ્રેસના સમર્થકો માનસિંહ રોડ પર વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. પ્રદર્શન દરમિયાન કેટલાક સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના એક કાર્યકર્તાએ કહ્યું કે જ્યાં સુધી રાહુલ જી ED ઓફિસમાંથી બહાર નહીં જાય ત્યાં સુધી અમે અમારું વિરોધ ચાલુ રાખીશું. શાસક સરકાર ‘રાવણ’ની ભૂમિકા ભજવી રહી છે. અમે તેમને કહેવા માંગીએ છીએ કે રાહુલ ગાંધી અમારા ‘રામ’ છે અને અમે તેમને સમર્પિત છીએ.
કોંગ્રેસ કાર્યાલયથી ED કાર્યાલય સુધી કલમ 144
જણાવી દઈએ કે કોંગ્રેસ કાર્યાલયથી ED કાર્યાલય સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે અને આ માર્ગ પરથી કોઈને જવાની મંજૂરી નથી. રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોંગ્રેસ મુખ્યાલયની સામે રાહુલ ગાંધી તરફી સૂત્રોચ્ચાર કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ સુધી શાંતિપૂર્ણ વિરોધ માર્ચ કાઢીશું. અમે બંધારણના રક્ષક છીએ, અમે ઝૂકીશું નહીં કે ડરીશું નહીં. ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવીને એ સાબિત કરી દીધું છે કે મોદી સરકાર કોંગ્રેસથી હલી ગઈ છે. કાયર મોદી સરકારે ઘણા પોલીસ અવરોધો અને પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘સત્ય માટે સંઘર્ષ’ ચાલુ રહેશે. આઝાદીની લડત દરમિયાન અંગ્રેજો પણ કોંગ્રેસનો અવાજ દબાવી શક્યા ન હતા, તો આ શાસક સરકાર કેવી રીતે કરી શકે? દેશમાં અઘોષિત ઈમરજન્સી લાદવામાં આવી છે. અમે શાંતિપૂર્ણ પદયાત્રા સાથે ED ઓફિસ સુધી જઈશું.
કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યું કે અમે ગાંધીવાદી અને શાંતિપૂર્ણ રીતે માર્ચ કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દિલ્હીમાં મંજૂરી મળી ન હતી. મને લાગે છે કે આ લોકો જે રીતે એજન્સીનો દુરુપયોગ કરી રહ્યા છે તે જાણીતું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને અન્ય તમામ નેતાઓ સામે 7-8 વર્ષથી બંધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક રાજકીય વિરોધીઓ પર દબાણ લાવવાની રાજનીતિ ચાલી રહી છે. દેશમાં આમ તો ઘણા મહત્વના મુદ્દાઓ છે પરંતુ અલગ-અલગ વિચારધારાના લોકોને દબાવવાનું કામ થઈ રહ્યું છે. કોંગ્રેસ પાસે છુપાવવા માટે કંઈ નથી.
આ પણ વાંચો:ભાજપ 2024ની લોકસભા ચૂંટણી જીતવા માટે નુપુર શર્માની હત્યા કરાવી શકે છે!જાણો આ નિવેદન કોણે આપ્યું
આ પણ વાંચો:વાંકાનેર મોરબી ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, અજાણ્યા ઈસમો સામે ફરિયાદ
આ પણ વાંચો: રાહુલ ગાંધીની હાજરી પહેલા ED ઓફિસની આસપાસ કલમ 144 લાગુ
