સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને મુંબઈમાં આપવામાં આવેલી સુરક્ષા ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે પીઆઈએલ પર ત્રિપુરા હાઈકોર્ટના નિર્દેશને પડકારતી કેન્દ્ર સરકારની અપીલને મંજૂરી આપી હતી.
સર્વોચ્ચ અદાલતની વેકેશન બેન્ચે 29 જૂને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને મુંબઈમાં આપવામાં આવેલી સુરક્ષાને પડકારતી PIL પર ત્રિપુરા હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ત્રિપુરામાં પીઆઈએલ (વિકાસ સાહા)ને મુંબઈમાં પૂરી પાડવામાં આવેલ લોકોની સુરક્ષા સાથે કોઈ લેવાદેવા નથી.
ત્રિપુરા હાઈકોર્ટે સાહા દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર 31 મે અને 21 જૂનના રોજ બે વચગાળાના આદેશો જારી કર્યા હતા અને કેન્દ્ર સરકારને અંબાણી, તેમની પત્ની અને બાળકોના જીવને જોખમને લગતી અસલ ફાઇલ પ્રદાન કરવા નિર્દેશ આપ્યો હતો. જે તમામને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.
આ પણ વાંચો:રણવીર સિંહની જગ્યાએ કોઈ મહિલા હોત તો આ રીતે વખાણ થયા હોત કે પછી, TMC સાંસદ મિમી ચક્રવર્તીનો સવાલ
આ પણ વાંચો:કોણ હતી એ 26 વર્ષની મોડલ જે ન્યુડ થઈને જુહુ બીચ પર દોડી હતી, અકસ્માતમાં થયું મોત
