સુરેન્દ્રનગરના ધાંગ્રધ્રામાં 200 વર્ષથી વધારે જુનું શિતળામાતાનું મંદિર આવેલું છે. જેમાં આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની સાતમ, આઠમ, નોમ અને દસમ ચાર દિવસ મોટો મેળો પણ ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આ મેળો માણવા ઉમટી પડે છે.
- ધ્રાંગધ્રામાં સ્ટેટ વખતનું 200 વર્ષ જૂનું મંદિર
- શિતળામાતાનું 200 વર્ષ જુનું મંદિર
- હજારોની સંખ્યામાં આવે છે દર્શનાર્થી
- લોકમેળાનું પણ થાય છે આયોજન
- મેળામાં લોકોનું આવે છે ઘોડાપુર
શ્રાવણ વદ-૭ (સાતમ) આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. આજે ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર ૨૦૦ વર્ષ કરતા વધુ જુનું છે. અને સ્ટેટ વખતનું આ મંદિર છે. આજે વહેલી સવારથી લાંબી લાઇનો હતી.શ્રાવણ વદ-૭(સાતમ) ના રોજ મેળો ભરાય છે. જેમાં, હજારો ની સંખ્યામાં માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. આ મંદિરે સવારથી લઇને મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શને આવે છે. મંદિરે સવારે અને સાંજે સુર્યાસ્ત સમયે આરતી થાય છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ અલગ-અલગ બાધાઓ રાખે છે જેવી કે, પગપાળા આવું, દંડવત કરતું આવવું. કે ઠંડુ ખાવાનું જેવી બાધાઓ હોય છે. આ મંદિરે આજુ-બાજુનાં ગામડાનાં તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આર્શીવાદ મેળવે છે. આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની સાતમ,આઠમ, નોમ અને દસમ ચાર દિવસ મોટો મેળો પણ ભરાય છે.જેમાં મોટી સંખ્યામાં લોકો આ મેળો માણવા ઉમટી પડે છે.
History / શીતળા સાતમના દિવસે ધ્રોલ ખાતે લડાયું હતું ઐતિહાસિક યુદ્ધ :મોટી સંખ્યામાં ક્ષત્રિયો થયા હતા શહિદ