Transfer/ મનીષ સિસોદિયા પર CBIના દરોડા વચ્ચે LGનો મોટો આદેશ, 12 IAS અધિકારીઓની બદલી

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે સીબીઆઈના દરોડા વચ્ચે અધિકારીઓની ઝાટકણી કાઢી છે

Top Stories India

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે સીબીઆઈના દરોડા વચ્ચે અધિકારીઓની ઝાટકણી કાઢી છે. તેમણે 12 IAS અધિકારીઓની બદલી કરી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના આદેશ પર, દિલ્હી સેવા વિભાગના નાયબ સચિવ અંજુ મંગલા દ્વારા તમામ IAS અધિકારીઓને તાત્કાલિક અસરથી નવા પદ સંભાળવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. કેટલાક IAS અધિકારીઓને વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.

 

 

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘર પર દરોડા બાદ હવે સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરની માહિતી પણ સામે આવી છે. આ FIRમાં આરોપી ડેપ્યુટી સીએમ સિસોદિયાને નંબર વન બનાવવામાં આવ્યા છે. આ પછી IAS આરવ ગોપી કૃષ્ણને આરોપી બનાવવામાં આવ્યા છે. FIRમાં કુલ 16 લોકોની સાથે એક કંપનીને પણ આરોપી બનાવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે CBIએ ગયા વર્ષે નવેમ્બરમાં લાવવામાં આવેલી દિલ્હી એક્સાઇઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાના સંબંધમાં FIR નોંધી છે.