Lalu Yadav Kidney Transplant: RJDના સંરક્ષક લાલુ પ્રસાદ યાદવનું સિંગાપુરની એક હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રહ્યું હતું. તેમની પુત્રી રોહિણી આચાર્યએ બિહારના પૂર્વ મુખ્યમંત્રીને પોતાની કિડની દાન કરી છે. લાલુ પહેલા રોહિણીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બિહારના નાયબ મુખ્યપ્રધાન લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું, ‘પપ્પાને સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન બાદ ઓપરેશન થિયેટરમાંથી ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. દાતા મોટી બહેન રોહિણી આચાર્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ બંને સ્વસ્થ છે. તમારી પ્રાર્થના અને આશીર્વાદ બદલ આભાર.
पापा का किडनी ट्रांसप्लांट ऑपरेशन सफलतापूर्वक होने के बाद उन्हें ऑपरेशन थियेटर से आईसीयू में शिफ्ट किया गया।
डोनर बड़ी बहन रोहिणी आचार्य और राष्ट्रीय अध्यक्ष जी दोनों स्वस्थ है। आपकी प्रार्थनाओं और दुआओं के लिए साधुवाद। 🙏🙏 pic.twitter.com/JR4f3XRCn2
— Tejashwi Yadav (@yadavtejashwi) December 5, 2022
તેજસ્વીની બહેન મીસા ભારતીએ ટ્વીટ કર્યું, ‘પાપાનું ઓપરેશન સફળ રહ્યું છે, પાપા હજુ પણ ICUમાં છે, હોશમાં છે અને વાત કરી શકે છે! તમારી શુભેચ્છાઓ માટે બધાનો આભાર!
पापा का ऑपरेशन सफलतापूर्वक हो गया है, पापा अभी ICU में हैं, होश में हैं और बातें कर पा रहे हैं!
आप सबकी शुभकामनाओं के लिए धन्यवाद! pic.twitter.com/blUO1BAtv3
— Dr. Misa Bharti – विजयी पाटलिपुत्र! ✌️ (@MisaBharti) December 5, 2022
ઓપરેશન પહેલા રોહિણીએ લાલુ સાથેનો ફોટો ટ્વિટ કર્યો હતો. તેણે લખ્યું હતું કે, રોક એન્ડ રોલ માટે તૈયાર. મારા માટે આ પૂરતું છે, તમારું સુખાકારી એ જ મારું જીવન છે. રોહિણી અને લાલુ બંનેનું બ્લડ ગ્રુપ એબી પોઝીટીવ છે. હાલ બંને ICUમાં છે.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાંબા સમયથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ સામે લડી રહ્યા છે. સિંગાપોરના તબીબોએ લાલુ યાદવને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. હાલમાં તે ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર છે. તેઓ દિલ્હી અને રાંચીમાં ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થયા છે.
આ પણ વાંચો: Bhart Jodo Yatra/ ભારત જોડો યાત્રા લઈને રાહુલ ગાંધી પહોંચ્યા રાજસ્થાન, અશોક ગેહલોત અને સચિન
