અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકો સાથે અથડામણ બાદ LAC પર તણાવ છે. ભારતના પૂર્વોત્તર રાજ્યોને અડીને આવેલી ભારત-ચીન સરહદે તણાવ વધી ગયો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પૂર્વોત્તરની મુલાકાતે જવાના છે. તેઓ મેઘાલય અને ત્રિપુરાની મુલાકાત લેશે. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.
પીએમ નરેન્દ્ર મોદી ત્રિપુરાના અગરતલામાં વિવેકાનંદ મેદાનમાં રેલીને સંબોધિત કરશે. પીએમ રેલી દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, પીએમ-કિસાન અને જળ જીવન મિશન જેવા વિવિધ કાર્યક્રમોના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. પીએમ મુખ્યમંત્રી માણિક સાહા, કેબિનેટ મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યો સાથે પણ બેઠક કરશે.
પીએમ મેઘાલયથી ત્રિપુરા આવશે
નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપવા વડાપ્રધાન રવિવારે મેઘાલયની મુલાકાત લેશે. આ કાર્યક્રમમાં ત્રિપુરાના સીએમ માણિક સાહા પણ હાજર રહેશે. આ પછી પીએમ માણિક સાહા સાથે મેઘાલયના શિલોંગ જશે. તેમનું વિશેષ વિમાન ત્રિપુરાના મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય એરપોર્ટ પર ઉતરશે.
ત્રિપુરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. CM અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ બુધવારે PMની મુલાકાત પહેલા સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. મંગળવારે કેબિનેટની વિશેષ બેઠક યોજાઈ હતી. વડાપ્રધાનની મુલાકાતને ઐતિહાસિક બનાવવા માટે વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: 11 દોષિતોની મુક્તિ પર કોઈ પુનર્વિચાર નહીં, સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની અરજી ફગાવી
આ પણ વાંચો:ગુજરાતમાં AAPનો ઉપયોગ અમારી વિરુદ્ધ થયો, નહીં તો અમે જીતી ગયા હોતઃ રાહુલ ગાંધી
આ પણ વાંચો:રાહુલ ગાંધી પર ભાજપે કર્યો વળતો પ્રહાર, કહ્યું- આ તેમના પરદાદા નેહરુનું ભારત નથી, મોદીનું ભારત છે…
