શુભેચ્છા/ ગોવા મુક્તિ દિવસ પર અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓએ શુભેચ્છા પાઠવી

ગોવા મુક્તિ દિવસ દર વર્ષે 19 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તે દિવસ તરીકે યાદ કરવામાં આવે છે જ્યારે ભારતીય સશસ્ત્ર દળોએ 450 વર્ષના પોર્ટુગીઝ શાસન બાદ 1961માં ગોવાને આઝાદ કર્યું હતું.

Top Stories India

ગોવા મુક્તિ દિવસ દર વર્ષે 19 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તે દિવસ તરીકે યાદ કરવામાં આવે છે જ્યારે ભારતીય સશસ્ત્ર દળોએ 450 વર્ષના પોર્ટુગીઝ શાસન બાદ 1961માં ગોવાને આઝાદ કર્યું હતું.આ મુક્તિ પર અરવિંદ કેજરીવાલ, જેપી નડ્ડા સહિત દિગ્ગજ નેતાઓએ શુભકામના પાઠવી હતી. આ ખાસ અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓએ શુભેચ્છા પાઠવી છે.અમિત શાહે ટ્વીટ કર્યું, “ગોવાના અમારા ભાઈઓ અને બહેનોને ‘ગોવા મુક્તિ દિવસ’ની શુભકામનાઓ. ગોવાને વિદેશી શાસનમાંથી મુક્ત કરવા માટે સખત મહેનત કરનારા તમામ નાયકોને યાદ કરીને, હું તેમની બહાદુરી અને હિંમતને સલામ કરું છું. તેમને નમન કરું છું.”

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું, “ગોવા મુક્તિ દિવસ પર, હું શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે ગોવાને સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત કરવા માટે લડ્યા હતા. રાષ્ટ્ર આપણા સશસ્ત્ર દળોના અનુકરણીય સાહસ અને બહાદુરીને સલામ કરે છે.” અમારી ઈચ્છા છે કે ગોવા પ્રગતિ કરવાનું ચાલુ રાખે છે અને ગૌરવની નવી ઊંચાઈઓને સ્પર્શે છે.”

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું, “હું ગોવાના લોકોને મુક્તિ દિવસના અવસર પર અભિનંદન આપું છું. જો આપણે ખરેખર ગોવાને આઝાદ કરાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય, તો આપણે રાજ્યને ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી મુક્ત કરવું પડશે અને તેની ધરોહર, પર્યાવરણ અને સંસ્કૃતિનું રક્ષણ કરવું જોઈએ.

liquor/ભારતમાં ઝેરી દારૂના કારણે છ વર્ષમાં સાત હજાર લોકોના મોત થયા,જાણો વિગત