Manipur Accident Video/ વિદ્યાર્થીઓને ટૂર પર લઈ જઈ રહેલી 2 સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 15 વિદ્યાર્થીઓના મોત

બુધવારે મણિપુરના નોની જિલ્લામાં પ્રવાસ પર જઈ રહેલી એક સ્કૂલ બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 વિદ્યાર્થીઓના મોત થયા હતા.

Top Stories India
અકસ્માત

મણિપુરથી આવી રહેલા સનસનાટીભર્યા સમાચાર મુજબ, બુધવારે અહીં નોની જિલ્લામાં વિદ્યાર્થીઓને લઈ જતી બે બસો જોરદાર ટકરાઈ હતી. આ માર્ગ અકસ્માત માં ઓછામાં ઓછા 15 વિદ્યાર્થીઓના મોતની આશંકા છે. મળતી માહિતી મુજબ, ઉપરોક્ત ઘટના મણિપુરના નોની જિલ્લાના બિષ્ણુપુર-ખપુમ રોડ પર બની હતી. જ્યાં હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

જી હા, બુધવારે મણિપુરના નોની જિલ્લામાં પ્રવાસ પર જઈ રહેલી એક સ્કૂલ બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસ થમ્બલાનુ હાયર સેકન્ડરી સ્કૂલ, યારીપોક જઈ રહી હતી. તે ખપુમ તરફ ટૂર પર જઈ રહી હતી. અહેવાલો અનુસાર, 22 વિદ્યાર્થીઓને ઇમ્ફાલની મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

અત્યાર સુધી મળેલા સમાચાર મુજબ, આ અકસ્માત નોલી જિલ્લાના બિષ્ણુપુર-ખપુમ રોડ પર થયો હતો. અહીં વિદ્યાર્થીઓને લઈ જતી બંને બસો થમ્બલાનુ ઉચ્ચતર માધ્યમિક શાળાની હોવાનું કહેવાય છે જે તે સમયે અભ્યાસ પ્રવાસ માટે ખપુમ તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 વિદ્યાર્થીઓના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:મનરેગામાં 3 કરોડથી વધુનું કૌભાંડ! ચાર અધિકારીઓ પર હેરાફેરીનો આરોપ

આ પણ વાંચો:તાપી નદી ગંદકી અને જળ કુંભીને લઈને પ્રદુષિત, શહેરીજનો લીલવાળું ગંદુ પાણી પીવા માટે મજબૂર

આ પણ વાંચો:AAP પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની ધરપકડ, ટ્વીટ કરીને કહ્યું; નવી સરકાર…