Rahul Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રાના હરિયાણા-દિલ્હી બોર્ડર પર પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ભારતના અવાજ સાથે ‘રાજા’ના સિંહાસન સુધી પહોંચ્યા છીએ. આ દરમિયાન કોંગ્રેસ નેતાએ લોકોને આ અવાજ ઉઠાવવા માટે રાજધાનીની યાત્રામાં જોડાવા અપીલ કરી છે. ભારત જોડો યાત્રા શનિવારે સવારે દિલ્હીની બદરપુર બોર્ડરથી શરૂ થશે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, “મોંઘવારી દૂર કરો. બેરોજગારી દૂર કરો. નફરત ન ફેલાવો – અમે ભારતના આ અવાજને ‘રાજા’ના સિંહાસન સુધી લઈ જઈને દિલ્હી આવ્યા છીએ. આવો, રાજધાનીમાં અવાજ પહોંચાડવા અમારી સાથે જોડાઓ.”
महंगाई हटाओ। बेरोज़गारी मिटाओ। नफ़रत मत फैलाओ – हिंदुस्तान की ये आवाज़ ‘राजा’ के सिंघासन तक ले कर, दिल्ली आ गए हम।
आइये, इसे और बुलंद करने के लिए, हमसे राजधानी में जुड़िए। pic.twitter.com/XSGlmO5iHL
— Rahul Gandhi (@RahulGandhi) December 23, 2022
જણાવી દઈએ કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હરિયાણા-દિલ્હી બોર્ડર પર પહોંચી ગઈ છે. આ યાત્રા શનિવારે સવારે 6 વાગ્યે બાદરપુર બોર્ડરથી શરૂ થશે અને મથુરા રોડ થઈને આશ્રમ તરફ આગળ વધશે. બપોરે આશ્રમ ચોક ધર્મશાળા ખાતે વિરામ માટે રોકાશે. આશા છે કે આ ધર્મશાળામાં રાહુલ ગાંધી પ્રેસને પણ સંબોધિત કરી શકે છે. આ પછી તે ઝાકિર હુસૈન માર્ગ, ઈન્ડિયા ગેટ, તિલક માર્ગ, આઈટીઓ થઈને લાલ કિલ્લા જશે. દિલ્હી કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, તે લાલ કિલ્લાથી નેતાજી સુભાષ માર્ગ થઈને રાજઘાટ જશે.
જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને કોંગ્રેસની ભારત જોડો યાત્રા રદ કરવાની માંગ કરી હતી. માંડવિયાએ કહ્યું કે ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો દેશના હિતમાં ભારત જોડો યાત્રા મોકૂફ રાખવી જોઈએ. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મોદી સરકાર ભારત જોડો યાત્રાથી ડરી ગઈ છે. સામાન્ય લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ વિવિધ પ્રશ્નો ઉઠાવી રહી છે. તેમણે પૂછ્યું કે શું પીએમ મોદી ગુજરાતની ચૂંટણીમાં તમામ પ્રોટોકોલનું પાલન કરીને માસ્ક પહેરીને ઘરે-ઘરે ગયા હતા?
આ પણ વાંચો: Corona Virus/કોરોનાને લઈને કેન્દ્રની એડવાઈઝરી જાહેર, રાજ્યોને કરાયા એલર્ટ
