ગૃહ, યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી નિસિથ પ્રમાણિકના કાફલા પર તૃણમૂલ કોંગ્રેસ (TMC) સમર્થકો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. મંત્રી કૂચબિહારના દિનહાટા વિસ્તારમાં પાર્ટી કાર્યકર્તાઓને મળવા જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ નિસિથ પ્રમાણિકના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. રોષે ભરાયેલા ટોળાને કાબૂમાં લેવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. પ્રામાણિકે ટીએમસી સમર્થકો પર હુમલાનો આરોપ લગાવ્યો છે.
#WATCH | West Bengal: The convoy of Nisith Pramanik, MoS Home & Youth Affairs and Sports was attacked allegedly by Trinamool Congress-backed goons when he was going to meet with the party workers in Coochbehar's Dinhata area. More details awaited. pic.twitter.com/eXWqt7U2K9
— ANI (@ANI) February 25, 2023
મંત્રીએ કહ્યું કે, જો રાજ્યમાં કોઈ મંત્રી સુરક્ષિત નથી તો તમે સામાન્ય માણસની દુર્દશાની કલ્પના કરી શકો છો. આ ઘટના બંગાળમાં લોકશાહીની સ્થિતિ દર્શાવે છે. મળતી માહિતી મુજબ જ્યારે હુમલો થયો ત્યારે કેન્દ્રીય મંત્રી સ્થાનિક ભાજપ કાર્યાલય જઈ રહ્યા હતા.
જો સ્થાનિક મીડિયાના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, BSF ગોળીબારમાં કથિત રીતે એક આદિવાસી માર્યો ગયો હતો, જેના કારણે લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. બીએસએફ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે અને પ્રામાણિક કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી છે. જેના કારણે લોકોએ તેના પર પથ્થરમારો કર્યો હતો.
આ પણ વાંચો:નીતિશ કુમાર માટે બીજેપીના દરવાજા કાયમ માટે બંધ’, અમિત શાહની બિહારમાં ગર્જના
આ પણ વાંચો:પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર સ્કોલ્ઝ વચ્ચે થઈ આ ખાસ બાબતો પર ચર્ચા
આ પણ વાંચો:શું અમેરિકા બાદ ચીને ભારતને બનાવ્યું નિશાન? ભારતીય સેનાએ જોયો આંદામાનમાં બલૂન
