છત્તીસગઢની રાજધાની રાયપુરમાં યોજાઈ રહેલા કોંગ્રેસના 85માં અધિવેશનને સંબોધિત કરતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વાસ્તવમાં આજે સોનિયા ગાંધીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે એજન્સીઓને સંપૂર્ણપણે કબજે કરી લીધી છે.
તેમણે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસે હંમેશા ભારતમાં લોકશાહીને મજબૂત કરી છે. આ સાથે પોતાની રાજકીય કારકિર્દીના અંતનો સંકેત આપતાં તેમણે કહ્યું કે, ‘તેમની ઈનિંગનો અંત ભારત જોડો યાત્રા સાથે થઈ શકે છે’ આવી સ્થિતિમાં તેમણે હવે નિવૃત્તિનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.
LIVE: Day 2 of the Congress' 85th Plenary session in Nava Raipur, Chhattisgarh. #CongressVoiceOfIndia https://t.co/E3ElVwylnf
— Congress (@INCIndia) February 25, 2023
આજે રાયપુરમાં 85માં સંમેલનને સંબોધતા સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને ‘ભારત જોડો યાત્રા’ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, 2004 અને 2009માં અમારી જીત તેમજ ડો. મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વથી મને સંપૂર્ણ વ્યક્તિગત સંતોષ મળ્યો, પરંતુ મને સૌથી વધુ ખુશી એ છે કે મારી ઇનિંગ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ શકી. આ ‘યાત્રા’ કોંગ્રેસ માટે ટર્નિંગ પોઈન્ટ બનીને આવી છે. તેમણે સાબિત કર્યું છે કે ભારતના લોકો સૌહાર્દ, સહિષ્ણુતા અને સમાનતા ઈચ્છે છે.
Congress isn't just a political party; we're the vehicle through which the people of India fight for liberty, equality, fraternity & justice for all. We reflect the voices of the people.
The path ahead is not easy, but the VICTORY will be OURS.
: Smt Sonia Gandhi Ji pic.twitter.com/m96jmU28e1
— Congress (@INCIndia) February 25, 2023
બીજી તરફ આજે સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીના મજબૂત નેતૃત્વમાં પાર્ટીની આ ‘સફર’ સફળ રહી છે. તેમણે કહ્યું કે મજબૂત કાર્યકરો જ પાર્ટીની તાકાત અને પાયા છે. કોંગ્રેસ માત્ર એક રાજકીય પક્ષ નથી, તે લોકશાહીના હિતમાં પક્ષ છે.
આ પણ વાંચો:પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર સ્કોલ્ઝ વચ્ચે થઈ આ ખાસ બાબતો પર ચર્ચા
આ પણ વાંચો:શું અમેરિકા બાદ ચીને ભારતને બનાવ્યું નિશાન? ભારતીય સેનાએ જોયો આંદામાનમાં બલૂન
આ પણ વાંચો:વિધાનસભામાં વિપક્ષ પર વરસ્યા યોગી, જાણો માફિયાઓને લઈને શું કહ્યું…
આ પણ વાંચો:ગુલામ નબી આઝાદે કોંગ્રેસ નેતા જયરામ રમેશને 2 કરોડની બદનક્ષીની નોટિસ મોકલી,જાણો કેમ?
