કેન્દ્રએ બુધવારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ ઉજ્જલ ભુઇયા અને એસવી ભાટીની નિમણૂકની સૂચના આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિએ જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા અને એસવી ભાટીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગયા અઠવાડિયે તેમની પદોન્નતિની ભલામણ કરી હતી.
In exercise of the powers conferred by the Constitution of India, the Hon’ble President, after consultation with the Hon’ble Chief Justice of India, is pleased to appoint the following 02 Chief Justices of High Courts as Judges of the Supreme Court of India pic.twitter.com/RYhHpEYWHZ
— Arjun Ram Meghwal (@arjunrammeghwal) July 12, 2023
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ટ્વીટ કરીને બંને જજોની નિમણૂક અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા અને એસવી ભાટીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે.
જસ્ટિસ ઉજ્જવલ ભુઇયા હાલમાં તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે અને જસ્ટિસ ભાટી કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. તેમની નિમણૂક સાથે, સુપ્રીમ કોર્ટમાં 34 જજોની મંજૂર સંખ્યામાંથી 32ની સંખ્યા હશે.
