તમિલનાડુ/ વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 13 લોકોના મોત

તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા છે.

Top Stories India

તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં 13 લોકોના મોત થયા છે. આ મામલામાં ફાયર એન્ડ રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે વિરૂધુનગર જિલ્લાના કમ્માપટ્ટી ગામ પાસે ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો.

9 ઓક્ટોબરે પણ વિસ્ફોટ થયો હતો

આ પહેલા 9 ઓક્ટોબરે પણ તમિલનાડુના અરિયાલુર ફટાકડા યુનિટમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા, જેમાં 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટના વેત્રીયુર મદુરા વિરાગુલર ગામમાં બની હતી.

આ કેસમાં ફેક્ટરીના માલિક રાજેન્દ્ર અને તેમના જમાઈ અરુણ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે દિવાળીના કારણે 30 અન્ય કામદારોને રાખવામાં આવ્યા હતા, જેઓ ઓવરટાઇમ કામ કરી રહ્યા હતા.



આ પણ વાંચો:same sex marriage/Same Sex Marriageને કાનૂની માન્યતા મળશે કે નહીં? સુપ્રીમ કોર્ટ સંભળાવશે આજે મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:Civil Defence Volunteer/ દિવાળી પહેલા લાગશે 10 હજાર કર્મચારીઓને આંચકો, તેમને બરતરફ કરવાની તૈયારી

આ પણ વાંચો:Shashi Tharoor/જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો કોણ બનશે PM? કોંગ્રેસ નેતા શશિ થરૂરે કર્યો  ખુલાસો