દક્ષિણ,પશ્ચિમ આઇસલેન્ડના રેકજેનેસ દ્વીપકલ્પમાં એક મોટો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. આ વિસ્ફોટથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. જ્વાળામુખી ફાટવાની આ ઘટના છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભૂકંપની ગતિવિધિઓ બાદ બની છે. જ્વાળામુખી ફાટવાથી લાવા અને ધુમાડો મોટા વિસ્તારમાં ફેલાયો છે.
માહિતી મુજબ, જ્વાળામુખી ફાટવાની શરૂઆત ગ્રિંડાવિક શહેરની ઉત્તરે થઈ હતી. જમીનની નીચેથી પીગળેલા ખડકો બહાર આવવા લાગ્યા. જ્વાળામુખીમાંથી નીકળતો લાવા અને રાખ દૂર દૂર સુધી ફેલાઈ રહી છે. એવું કહેવાય છે કે જમીનની અંદર 3.5 કિમી લાંબી તિરાડ છે જેમાંથી પ્રતિ સેકન્ડ લગભગ 100 થી 200 ક્યુબિક મીટર લાવા બહાર આવી રહ્યો છે.
આઇસલેન્ડના લોકો હજુ છેલ્લા કેટલાક સપ્તાહોથી ચાલી રહેલી સતત ધરતીકંપની ગતિવિધિઓના આતંકમાંથી બહાર આવ્યા ન હતા, ત્યારે જ્વાળામુખી ફાટવાથી લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે. જો કે, રેકજેનેસ દ્વીપકલ્પ પર આ જ્વાળામુખી ફાટતા પહેલા જ પ્રશાસને લગભગ 4 હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં સતત ધરતીકંપની ગતિવિધિઓ અનુભવાઈ રહી હતી, જે બાદ ભૂસ્તરશાસ્ત્રીઓએ જ્વાળામુખી ફાટવાની આશંકા વ્યક્ત કરી હતી.
સ્થાનિક પોલીસ પ્રશાસન પણ સતર્ક છે. લોકોને આ વિસ્તારમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. સત્તાવાળાઓએ જણાવ્યું છે કે તાજેતરના વર્ષોમાં રેકજેનેસ દ્વીપકલ્પના બિન વસ્તીવાળા વિસ્તારોમાં અનેક વિસ્ફોટ થયા છે, પરંતુ આ વિસ્ફોટ ગ્રિંડાવિક શહેર માટે ખતરો બની શકે છે. આ પ્રદેશ છેલ્લા બે મહિનામાં સેંકડો ભૂકંપનો ભોગ બન્યો હતો પરંતુ તાજેતરના અઠવાડિયામાં તેની તીવ્રતામાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો :USA-Gujarat Youth Death/અમેરિકામાં ગુજરાતી યુવકનું મોત, ગોળી મરાઈ હતી
આ પણ વાંચો :merry christmas/ખૂબ જ ‘હમ્બ્લ’ છે આ ક્રિસમસ ટ્રી, હરાજીમાં વેચાયું 3.32 લાખ રૂપિયામાં
આ પણ વાંચો :Dawood Ibrahim/દાઉદ ઇબ્રાહિમ મૃત્યુની નજીક, થશે ડોન યુગનો અંત કે પછી પરિવારની વ્યક્તિ સંભાળશે પદ, જાણો તેના પરિવાર વિશે
