મહારાષ્ટ્ર/ નાગપુરમાં ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 5 શ્રમિકોના મોત

નાગપુર શહેર નજીક વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 5 કર્મચારીઓ ઘાયલ હોવાનું કહેવાય છે.

Top Stories India Breaking News

Maharashtra News: નાગપુર શહેર નજીક વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 5 કર્મચારીઓ ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી ત્રણની હાલત નાજુક છે. આ દુર્ઘટના નાગપુરથી લગભગ 25 કિલોમીટર દૂર હિંગણા પોલીસ સ્ટેશન વિસ્તારના ધમના ગામમાં ચામુંડી એક્સપ્લોઝિવ પ્રાઈવેટ લિમિટેડમાં થઈ હતી.

નાગપુર પોલીસ કમિશનરે જણાવ્યું કે ધામનામાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટ બપોરે 1 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે કામદારો વિસ્ફોટકો પેક કરી રહ્યા હતા. પોલીસ ટીમ સ્થળ પર છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાસ્થળે હાજર રહેલા એનસીપી (એસપી)ના નેતા અનિલ દેશમુખે જણાવ્યું કે ધામના ગામ પાસે ગનપાઉડર બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટની આ ઘટના બની હતી. ફેક્ટરીના મેનેજર અને માલિક ફરાર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. વિસ્ફોટક વિભાગની એક ટીમ સ્થળ પર તૈનાત છે. આ બાબતે તપાસ ચાલુ છે.

અનિલ દેશમુખે કહ્યું કે આશ્ચર્યની વાત છે કે આટલી મોટી વિસ્ફોટક ફેક્ટરી ચાલી રહી છે, પરંતુ તેની પાસે પોતાની એમ્બ્યુલન્સ નથી. હવે એક્સપ્લોઝિવ વિભાગની ટીમ તપાસ કરી રહી છે કે આ દુર્ઘટના કેમ થઈ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : શું જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે થઈ રહી છે ઘૂસણખોરી, પાકિસ્તાની આતંકવાદીઓ રચી રહ્યા છે ષડયંત્ર

આ પણ વાંચો : PM મોદી આજે ઇટલી જશે, G7 સમિટમાં ભાગ લેશે, જ્યોર્જિયા મેલોની સાથે પણ કરશે મુલાકાત

આ પણ વાંચો : રામનગરીમાં ફ્લાયઓવર બનાવવાનો પ્રસ્તાવ રદ્દ