Loksabha Election 2024/ NCP નેતા છગન ભુજબળે ભાજપ પર કર્યા પ્રહાર ‘જીત થાય તો RSS અને હાર થાય તો અજિત પવારનો દોષ ?’

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનમાં બધુ બરાબર થતું જણાતું નથી.

Top Stories India

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનમાં બધુ બરાબર થતું જણાતું નથી. પહેલા NCPએ કેન્દ્રીય રાજ્ય મંત્રી પદની ઓફરને ફગાવી દીધી અને હવે તેના નેતાઓ ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા છગન ભુજબળે ભાજપની સીટો ઘટાડવા પર પ્રહારો કર્યા છે.

ભુજવાલે ભાજપની ટીકા કરી 
RSSના નજીકના ગણાતા સાપ્તાહિક મેગેઝિન ઓર્ગેનાઈઝરમાં છપાયેલા લેખ પર પ્રતિક્રિયા આપતા છગન ભુજબળે ભાજપ પર નિશાન સાધ્યું છે. લેખમાં NCP સાથે ગઠબંધન કરવા બદલ ભાજપની ટીકા કરવામાં આવી હતી. ભુજબળે કહ્યું કે આ લેખ અમુક અંશે સાચો છે કારણ કે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ જેવા કોંગ્રેસના નેતાઓને સામેલ કરવા બદલ ભાજપની ટીકા સાચી છે. NCP નેતાએ કહ્યું, “લોકસભાની ચૂંટણીમાં અમને 48માંથી માત્ર 4 બેઠકો આપવામાં આવી હતી. તે 4માંથી 2 બેઠકો અમારી પાસેથી છીનવાઈ ગઈ હતી. તેથી, આ 2 બેઠકોમાંથી, રાયગઢ અને બારામતી, અમે 1 જીતી હતી. હવે કેવી રીતે કહી શકાય કે અમે 48 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા, અમને માત્ર 2 બેઠકો મળી હતી.

તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ ભાજપની હાર થઈ છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને આટલી ઓછી બેઠકો મળશે તેવું કોઈએ વિચાર્યું ન હતું. તેથી અજિત પવાર જૂથને દોષ આપવો યોગ્ય નથી.

‘દોષનો ટોપલો કેમ અજિત પવારના માથે’
એનસીપી યુવા પાંખના નેતા સૂરજ ચવ્હાણે પણ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે ભાજપ સારું પ્રદર્શન કરે છે ત્યારે તેનો શ્રેય આરએસએસને જાય છે, પરંતુ હારનો દોષ અજિત પવાર પર નાખવામાં આવે છે. આનો વિરોધ કરતાં ભાજપના એમએલસી પ્રવીણ દારેકરે કહ્યું કે RSS આપણા બધા માટે પિતા સમાન છે. RSS વિશે ટિપ્પણી કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સૂરજ ચવ્હાણે વિચાર્યા વગર કશું બોલવું જોઈએ નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શું જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે થઈ રહી છે ઘૂસણખોરી, પાકિસ્તાની આતંકવાદીઓ રચી રહ્યા છે ષડયંત્ર

આ પણ વાંચો:વિદેશી નાગરિકોએ પણ ચારધામ યાત્રાને લઈ કરાવ્યું રજીસ્ટ્રેશન

આ પણ વાંચો: GST કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ-ડિઝલને લઈને થશે મોટો ફેંસલો ?