નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024માં ભારત ચેમ્પિયન બન્યા બાદ ત્રણ સિનિયર ખેલાડીઓએ T20માંથી નિવૃત્તિ લીધી હતી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ટી-20માંથી નિવૃત્તિ લીધી છે. હવે BCCI સેક્રેટરી જય શાહે આ ખેલાડીઓને આગામી ટુર્નામેન્ટમાં રમવા અંગે સંકેત આપ્યા છે. જય શાહે કહ્યું કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા આવતા વર્ષે રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમતા જોવા મળશે. ભારતનું નવું લક્ષ્ય ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાનું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી-માર્ચ 2025માં રમાશે
ICC ટૂર્નામેન્ટ 6 મહિના પછી રમાશે. પાકિસ્તાન ફેબ્રુઆરી-માર્ચ 2025માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતા જોવા મળશે. આ ટુર્નામેન્ટ વન-ડે ફોર્મેટમાં રમાશે. T20 વર્લ્ડ કપ 2024 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વચ્ચે, ભારતીય ટીમને માત્ર 6 ODI મેચ રમવાની તક મળશે, જ્યારે ભારતીય ટીમ 10 ટેસ્ટ અને 16 T20I રમશે. ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ફેબ્રુઆરી 2025 પહેલા વ્યસ્ત છે પરંતુ ભારત માત્ર 6 ODI મેચ રમશે. એક ODI શ્રેણી જુલાઈ 2024 માં અને બીજી ODI શ્રેણી ફેબ્રુઆરી 2025 માં છે.
આ પણ વાંચો: રોહિત પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન, લિસ્ટમાં સામેલ 4 ખેલાડીઓ
આ પણ વાંચો: ખુદ સૂર્યકુમારના શબ્દોમાં તે કેચની વાર્તા… જેણે મેચને ભારતની તરફેણમાં બદલી નાખી
આ પણ વાંચો: રોહિત શર્માએ પીચને આ રીતે કર્યું નમન, VIDEO જોઈને તમે પણ થઈ જશો ભાવુક
આ પણ વાંચો: રોહિત-વિરાટ સિવાય આ દિગ્ગજની સફરનો પણ અંત આવ્યો, T20 વર્લ્ડ કપ પૂરો થતાં જ તેને લીધો સન્યાસ