Gandhinagar News : ગાંધીનગરમાં રાજ્ય વેરા નિરીક્ષકોની સામૂહિક બદલીના આદેશને પગલે અધિકારી ગણમાં સન્નાટો છવાઈ ગયો છે. જેમાં એકસાથે 171 વેરા નિરીક્ષકોની તાત્કાલિક બદલીના આદેશો આપવામાં આવ્યા હતા. તે સિવાય ગાંધીનગર નાયબ અને સંયુક્ત વેરા અધિકારીઓની આંતરિક બદલી પણ કરવામાં આવી છે.
જે અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે તેમાં વડોદરા, હિંમતનગર, દાહોદ અને ભરૂચના વેરા અધિકારીઓનો સમાવેશ થાય છે. તે સિવાય ભાવનગર, સુરેન્દ્રનગર, આણંદ, દોરાજી, વલસાડ અને મોરબીના અધિકારીઓની પણ બદલીઓ કરવામાં આવી છે.
આમ એકસાથે 171 વેરા નિરીક્ષકોની સામૂહિક બદલીના આદેશને પગલે અધિકારીઓમાં સન્નાટો છવાઈ ગયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ
આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો
