Bangladeh News: બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતને લઈને હિંસા ફાટી નીકળ્યાના દિવસો પછી, પોલીસે શનિવારે દેશભરમાં કડક કર્ફ્યુ લાદ્યો અને રાષ્ટ્રીય રાજધાની ઢાકાના વિવિધ ભાગોમાં લશ્કરી દળોએ પેટ્રોલિંગ કર્યું. પોલીસને જોતાં જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. સિવિલ સર્વિસની નોકરીઓમાં ક્વોટા નાબૂદ કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટ રવિવારે પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 133 લોકોના મોત થયા છે.
ગુરુવારે, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દેશમાં સંપૂર્ણ બંધ લાદવાનો પ્રયાસ કર્યો ત્યારે 22 લોકો માર્યા ગયા. મંગળવાર અને બુધવારે પણ ઘણા લોકો માર્યા ગયા હતા. રાજધાની ઢાકા અને અન્ય શહેરોમાં રસ્તાઓ અને યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થઈ હતી. સત્તાવાળાઓએ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેટલીક ટેલિવિઝન ન્યૂઝ ચેનલોએ પણ કામ કરવાનું બંધ કરી દીધું છે અને મોટાભાગના બાંગ્લાદેશી અખબારોની વેબસાઈટ ખુલી રહી નથી.
મૃત્યુઆંકની પુષ્ટિ કરવા માટે અધિકારીઓનો તાત્કાલિક સંપર્ક કરી શકાયો નથી, પરંતુ ‘દૈનિક પ્રથમ આલો’ અખબારે અહેવાલ આપ્યો છે કે મંગળવારથી અત્યાર સુધીમાં 103 લોકોના મોત થયા છે. પરંતુ આ સંખ્યા 130થી વધુ છે. ઢાકામાં યુએસ એમ્બેસીએ શુક્રવારે જણાવ્યું હતું કે અહેવાલો દર્શાવે છે કે બાંગ્લાદેશમાં સેંકડોથી સંભવતઃ હજારો લોકો ઘાયલ થયા છે. દૂતાવાસે કહ્યું કે પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે.
જોતાં જ ગોળીબાર કરવાનો આદેશઃ
દેશમાં અડધી રાતથી કર્ફ્યુ શરૂ થઈ ગયો. બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી રાહત રહેશે જેથી લોકો આવશ્યક ચીજવસ્તુઓ ખરીદી શકે. આ પછી રવિવારે સવારે 10 વાગ્યા સુધી ફરી કર્ફ્યુ લાગુ રહેશે. સત્તાધારી અવામી લીગ પાર્ટીના જનરલ સેક્રેટરી અને સાંસદ ઉબેદ-ઉલ-કાદરે કહ્યું કે બદમાશોને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. પ્રદર્શનકારીઓ એ પ્રણાલીનો અંત લાવવાની માંગ કરી રહ્યા છે જે હેઠળ 1971માં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધમાં લડનારા ભૂતપૂર્વ સૈનિકોના સંબંધીઓને સરકારી નોકરીઓમાં 30 ટકા સુધી અનામત આપવામાં આવે છે.
વિરોધીઓ દલીલ કરે છે કે સિસ્ટમ ભેદભાવપૂર્ણ છે અને વડા પ્રધાન શેખ હસીનાના સમર્થકોની તરફેણ કરે છે. શેખ હસીનાની અવામી લીગ પાર્ટીએ મુક્તિ ચળવળનું નેતૃત્વ કર્યું હતું. વિદ્યાર્થીઓ ઇચ્છે છે કે તેને મેરિટ આધારિત સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવે. આરક્ષણ પ્રણાલીનો બચાવ કરતા હસીનાએ કહ્યું કે યુદ્ધમાં ભાગ લેનારાઓને સન્માન મળવું જોઈએ, પછી ભલે તેઓ કોઈપણ રાજકીય સંગઠન સાથે જોડાયેલા હોય.
આ પણ વાંચો: ચીનમાં મુશળધાર વરસાદે મચાવી તબાહી, પૂલ તૂટતા 11 લોકોના થયા મોત, અનેક લાપતા
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં દેશવ્યાપી કર્ફ્યુ અને ગંભીર હિંસા વચ્ચે 778 ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા: વિદેશ મંત્રાલય
આ પણ વાંચો: ચેલેન્જ પૂરી કરતા 13 વિદ્યાર્થીઓની તબિયત બગડી, કંપનીએ આપી હતી ચેતવણી
