Vastu Tips: આધુનિકતા અને વ્યસ્તતા વચ્ચે ઘરમાં ખુશી (Happiness) અને સકારાત્મકતા (Positivity) હોવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત અજાણતા કરવામાં આવેલી ભૂલો વાસ્તુ દોષનું કારણ બને છે. વાસ્તુશાસ્ત્ર (Vastushashtra) કહે છે કે અમુક ભેટ (Gift) આપવાથી જીવનમાં સુખ અને આર્થિક સ્થિરતા આવે છે. જાણો કઈ વસ્તુઓ ગિફ્ટ કરવી એ વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે અને વાસ્તુ દોષથી મુક્તિ મળે છે.

1. ભગવાન ગણેશની મૂર્તિઃ વાસ્તુ (Vastu) અનુસાર ઘરના પ્રવેશદ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ મૂકવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને અવરોધો દૂર થાય છે. ભગવાન ગણેશ, જ્ઞાનના દેવતા, પ્રથમ પૂજાપાત્ર દેવતા છે. તેઓ સારા નસીબ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હાઉસ વોર્મિંગ જેવા શુભ પ્રસંગે ભગવાન ગણેશની મૂર્તિ કોઈને ભેટમાં આપવી શુભ હોય છે.
2. ક્રિસ્ટલ લોટસઃ ક્રિસ્ટલ કમળને વાસ્તુશાસ્ત્રમાં શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં સ્ફટિક કમળ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. એવું માનવામાં આવે છે કે સકારાત્મક ઉર્જા આકર્ષવા અને ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે લિવિંગ રૂમમાં સ્ફટિક કમળ રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેને કોઈને ગિફ્ટ કરવાથી આર્થિક સ્થિરતા આવે છે.

3. વાસ્તુ યંત્ર: વાસ્તુશાસ્ત્ર અનુસાર, વાસ્તુ યંત્ર ઘરમાંથી નકારાત્મક ઉર્જા (Negative energy) બહાર કાઢે છે અને સકારાત્મક ઉર્જા ખેંચે છે. વાસ્તુ યંત્ર વાસ્તુ દોષોને દૂર કરવામાં પણ મદદરૂપ છે. એવું કહેવાય છે કે તેને ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવાથી જીવનમાં સુખ અને આર્થિક સમૃદ્ધિ આવે છે.
4. હાથીની જોડીઃ હાથીને સુખ, સંપત્તિ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ (Vastu) અનુસાર કોઈને હાથીની જોડી ગિફ્ટ કરવી ખૂબ જ શુભ હોય છે. એવું કહેવાય છે કે ચાંદી, પિત્તળ અથવા લાકડામાંથી બનેલી હાથીની જોડી આપવી ખૂબ જ શુભ હોય છે.

આ પણ વાંચો: ઘરમાં આ વસ્તુઓથી આર્થિક તંગી થાય છે, નકારાત્મક ઊર્જાનો વાસ હોય છે…
આ પણ વાંચો: તમારૂં ખીસ્સું ભરેલું રહેતું નથી? આ વસ્તુઓને ફેંકી દો અને જુઓ કમાલ!
આ પણ વાંચો: ઓફિસનાં તણાવથી મુક્તિ અપાવશે વાસ્તુ ટિપ્સ
